Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

શ્રવણ અક્ષમતા - અક્ષમતાની સમજ

વાર્તાલાપ કરવા માટે તથા મૌખિક રીતે સંપ્રેષણ કરવામાં વ્યકિતને શ્રવણેન્દ્રિય મદદરૂપ થાય છે. વર્ગખંડમાં તમામ પ્રકારની અધ્યાપન પ્રક્રિયામાં શિક્ષક શાબ્દિક રીતે વિષયવસ્તુની રજૂઆત કરે છે. જન્મ પછી બાળક સાથે તેનાં કુટુંબના લોકો તેની સાથે આંતરક્રિયા કરવા માટે ઇશારાઓ પછી ભાષાનો જ સૌથી વધુ ઉપયોગ કરે છે. લોકોની વાતો સાંભળતાં સાંભળતાં બાળક મોટું થાય છે. લોકો સાથે મૌખિક સંવાદ કરીને તે ઘણું શીખે છે અને પોતાની જરૂરિયાતોની જાણ તેનાં પાલકોને કરે છે. પછી જયારે તે સમાજમાં આવે છે ત્યારે પણ તેના દૈનિક જીવનની લગભગ તમામ આંતરક્રિયાત્મક પ્રવૃત્તિઓમાં તેણે વાણી અને શ્રવણેન્દ્રિયનો ઉપયોગ કરવો પડે છે. આ પ્રક્રિયા આજીવન ચાલે છે. તે અભ્યાસ કરે, વ્યવસાય કરે કે કોઈ અન્ય પ્રવૃત્તિ કરે, દરેક કાર્યમાં મૌખિક સંવાદ ખૂબ મોટો ભાગ ભજવે છે. હવે જો વ્યકિત શ્રવણશકિત જ ન ધરાવતી હોય તો તેનો વિકાસ અપેક્ષિત રીત ન થાય તે સ્વાભાવિક બાબત છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પ્રકરણમાં આપણે બાળકોનાં શિક્ષણનાં સંદર્ભમાં તેમની શ્રવણ અક્ષમતાની અસર અંગે ચર્ચા કરીશું. 

શ્રવણની અક્ષમતા ( Visual Disability / Impairment

વ્યકિત સંપૂર્ણ અથવા આંશિક રીતે સાંભળવાની શકિત ગુમાવી દે તો તેને શ્રવણની અક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ સાધન વડે પણ વ્યકિત સાંભળી ન શકે તો તેને સંપૂર્ણ બહેરાશ એટલે કે, શ્રવણની સંપૂર્ણ અક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. ફકત કોઈ બાહ્ય શ્રવણ સહાયક સાધનની મદદથી સાંભળી શકવાની ક્ષમતાને આંશિક બહેરાશ તરીકે ઓળખવામાં આવે છે. 

સામાન્ય સંજોગોમાં શ્રવણની સંપૂર્ણ અક્ષમતાને આપણે બહેરાશ તરીકે ઓળખીએ છીએ, તેથી હવે પછી આ પ્રકરણમાં આપણે તેના માટે બહેરાશ શબ્દનો ઉપયોગ કરીશું.

બહેરાશનાં કારણો - Causes of Hearing Disability / Impairment 

બહેરાશનું કોઈ એક કારણ નથી. તેનાં અનેક કારણો છે. તેમાંથી એક અથવા વધુ કારણે વ્યકિતમાં બહેરાશની સમસ્યા જોવા મળી શકે છે. આ કારણો નીચે જણાવ્યા મુજબનાં છે : 

  • જનીનની ખામીને કારણે જન્મથી જ અમુક બાળકો બહેરાશ ધરાવતાં હોય છે. 
  • કેટલાક કિસ્સાઓમાં જનીનની ખામીને કારણે જન્મના અમુક સમય પછી બાળકમાં બહેરાશ આવી શકે છે. 
  • માથા પર અથવા મગજ પર ઇજા થવાને કારણે બાળક બહેરું થઈ શકે છે. 
  • કાનના આંતરિક ભાગમાં ગાલપચોળિયાં અને ઓરી જેવા રોગનો ચેપ લાગવાથી બાળકમાં બહેરાશ આવી શકે છે. 
  • શ્રાવ્ય ચેતાકોષોને ચેપ લાગવાને કારણે વ્યકિતમાં બહેરાશ આવી શકે છે શ્રાવ્ય ચેતાકોષો પર અથવા તેમની પાસે સોજો આવવાથી બહેરાશ આવી શકે છે. 
  • મગજનો તાવ (Meningitis) આવવાને કારણે બહેરાશની સમસ્યા ઊભી થઈ શકે છે. 
  • મગજ પર સોજો આવવાથી બહેરાશની સમસ્યા ઊભી થઈ શકે છે. 
  • મગજ સુધી જતું લોહી અટકાવી દે એવા કોઈ આઘાતને કારણે બહેરાશ આવી શકે છે. 
  • ખૂબ વધારે તીવ્રતા ધરાવતો અવાજ એકદમથી સાંભળવામાં આવે તો બહેરાશ આવી શકે છે. 
  • વધુ તીવ્રતાવાળા અવાજની વચ્ચે સતત રહેવાથી બહેરાશ આવી શકે છે.
  • કાન પર ગંભીર ઇજા થવાથી બહેરાશ આવી શકે છે.
  • અમુક વખતે અન્ય કોઈ બિમારીને દૂર કરવા માટે ખૂબ તીવ્રતા ધરાવતી દવાઓ લેવામાં આવે છે, તેની આડ અસરને કારણે બહેરાશ આવી શકે છે 
  • ઉંમર વધવાની સાથે મોટી વયે લગભગ તમામ વ્યકિતઓને ઓછાવત્તા પ્રમાણમાં બહેરાશની સમસ્યા નડે છે. 

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતા પર બહેરાશની અસર પડે છે. કઈ રીતે ? તેના વિશે હવે આપણે ચર્ચા કરીશું. 

બાળકોનાં અધ્યયન પર બહેરાશની અસર 

[ A ] બાળકોનાં અધ્યયન પર સંપૂર્ણ બહેરાશની નીચે જણાવ્યા પ્રમાણે અસર પડી શકે છે : 


  • મુખ્ય પ્રવાહની શાળામાં એટલે કે, સમાવેશક શાળાના વર્ગખંડમાં શિક્ષક દ્વારા મૌખિક રીતે રજૂ કરવામાં આવેલી માહિતી સંપૂર્ણ બહેરાશ ધરાવતું બાળક સાંભળી શકતું નથી. તેથી તે અન્ય બાળકોની તુલનામાં અધ્યયનના સંદર્ભમાં પાછળ રહી જાય છે. 
  • આવાં બાળકો વર્ગખંડમાં મૌખિક ચર્ચા કરી શકતાં નથી, તેથી વિષયવસ્તુના સંદર્ભમાં ઊભી થયેલી સમસ્યાના સંદર્ભમાં તેઓ શિક્ષક સામે તાત્કાલિક રજૂઆત કરી શકતાં નથી, પરિણામે તેમના અધ્યયન પર નકારાત્મક અસર પડે છે. 
  • સમાવેશક શાળામાં અન્ય સામાન્ય બાળકો પણ હોવાથી શિક્ષક મર્યાદિત પ્રમાણમાં સાંકેતિક ભાષાનો ઉપયોગ કરી શકે છે, તેથી બહેરાશ ધરાવતાં બાળકો વિષયવસ્તુને સમગ્ર રીતે સમજી શકતાં નથી. 
  • વિશિષ્ટ શાળામાં અભ્યાસ કરતાં બાળકોની સામે સાંકેતિક ભાષામાં વિષયવસ્તુની રજૂઆત કરવામાં સમય વધુ જાય છે. તેથી આવાં બાળકોનાં અધ્યયનની ગતિ ધીમી રહે છે. 
  • આવાં બાળકોનાં સંપ્રેષણ કૌશલ્યનો વિકાસ થતો નથી.
  • જો બાળક જન્મથી જ બહેરું હોય તો તેણે કદીએ મૌખિક આંતરક્રિયા કરી હોતી નથી. તેથી શબ્દોને આસપાસના વાતાવરણના સંદર્ભમાં સમજવાની તેની આવડતનો વિકાસ થતો નથી, પરિણામે તેની સામે સાંકેતિક ભાષામાં રજૂ કરવામાં આવેલી માહિતીનું તે યોગ્ય સંદર્ભમાં અર્થધટન કરી શકતું નથી. આવા સંજોગોમાં વિષયવસ્તુના મુદ્દાઓનાં સંદર્ભમાં તેની સમજ સુસ્પષ્ટ બનતી નથી. 
  • બહેરાશ ન ધરાવતાં સામાન્ય બાળકો તેમની આસપાસના વાતાવરણમાં અનેક પ્રકારનાં અવાજ સાંભળે છે. ઉપરાંત તેમના સંપર્કમાં આવતા અનેક લોકો સાથે વાર્તાલાપ કરે છે. તે સિવાય અન્ય લોકો વચ્ચે થતી વાતચીત પણ તે જાણે - અજાણે સાંભળે છે, જેના કારણે તેઓ અનૌપચારિક રીતે ઘણી વાતો શીખે છે. જે તેમને અધ્યયનમાં મદદરૂપ થાય છે. આવી તક સંપૂર્ણ બહેરાશ ધરાવતાં બાળકોને મળતી નથી. પરિણામે તેઓ અધ્યયનનાં સંદર્ભમાં અન્ય બાળકો કરતાં પાછળ રહી જાય છે. 
  • તેમની મૌખિક આંતરક્રિયા કરવાની અક્ષમતાને કારણે સમાવેશક શાળામાં અન્ય બાળકો તેમને મદદરૂપ થવામાં મુશ્કેલી અનુભવે છે. તેથી આવી શાળામાં તેમણે અધ્યયન માટે શિક્ષક પર જ આધાર રાખવો પડે છે, પરંતુ અન્ય સામાન્ય બાળકોની વર્ગખંડમાં હાજરી હોવાને કારણો બહેરાં બાળકો પ૨ શિક્ષક વ્યકિતગત રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. પરિણામે બહેરાં બાળકો અધ્યયન ગતિની બાબતે અન્ય બાળકોની તુલનામાં ધીમા સાબિત થાય છે. 
  • બહેરાશને કારણે બાળકનું અધ્યયન પ્રમાણમાં ખૂબ ધીમું થાય છે. તેથી તેમનામાં હતાશા પેદા થાય છે અને તેઓ ધીમે ધીમે અધ્યયનમાંથી રસ ગુમાવતા જાય છે. 

[ B ] આંશિક બહેરાશ ધરાવતાં બાળકોનાં અધ્યયન પર તેમની આ અક્ષમતાની નીચે જણાવ્યા પ્રમાણે અસર પડી શકે છે. 

  • પ્રમાણમાં વધુ તીવ્ર બહેરાશ ધરાવતાં બાળકોનાં ભાષા કૌશલ્ય અને વાણીનો વિકાસ ધીમો થાય છે. તેથી તેઓ પોતાની વાતો અસરકારક રીતે રજૂ કરી શકતાં નથી. પરિણામે તેમની શૈક્ષણિક સમસ્યાઓ શિક્ષકોને સમજાવી શકતાં નથી, જેના કારણે આવાં બાળકો વિષયવસ્તુને સ્પષ્ટ રીતે સમજવામાં મુશ્કેલી અનુભવે છે.
  • આંશિક બહેરાશ ધરાવતાં બાળકો જો શ્રવણ સહાયક સાધનોનો ઉપયોગ ન કરે તો વર્ગખંડમાં શિક્ષક દ્વારા રજૂ કરવામાં આવતી માહિતી સ્પષ્ટ રીતે સાંભળી અને સમજી શકતાં નથી, જે તેમનાં અધ્યયન પર નકારાત્મક અસર કરે છે. 
  • આવાં બાળકો બહેરાશને કારણે હતાશ થઈ જાય, જેના કારણે ધીમે ધીમે તેઓ અધ્યયનમાંથી રસ ગુમાવતા જાય છે. 
  • જો આવાં બાળકોને વર્ગખંડમાં યોગ્ય જગ્યાએ બેસાડવામાં ન આવે તો વર્ગખંડમાં શિક્ષક દ્વારા રજૂ કરવામાં આવતી માહિતી સ્પષ્ટ રીતે સાંભળી અને સમજી શકતા નથી. 
  • આવાં બાળકો અન્ય બાળકોની જેમ સરળતાથી અને સાહજિક રીતે શિક્ષક સાથે ચર્ચા કરી શકતા નથી. તેથી તેઓ વિષયવસ્તુ સંબંધિત તેમની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ મેળવી શકતા નથી. 
  • જો આવાં બાળકો તેમના વાલીઓ અને શિક્ષકોને તેમની સમસ્યા અંગેની જાણ ન કરે તો તેમની અધ્યયન સમસ્યાઓના સંદર્ભમાં ઉપચારાત્મક કાર્ય કરી શકાતું નથી. પરિણામે અન્ય બાળકોની તુલનામાં તેઓ અધ્યયનમાં પાછળ રહી જાય છે. 
  • આવાં બાળકો વર્ગખંડમાં થતી ચર્ચાઓની નોંધ કરવામાં ધીમા રહે છે. પરિણામે તેઓ માનસિક તાણ અનુભવે છે, જેના કારણે તેઓ વર્ગખંડમાં બેધ્યાન રહે છે. 
  • શિક્ષકની વાણી સુસ્પષ્ટ રીતે નહીં સાંભળી શકવાને કારણે તેઓ વર્ગખંડમાં સામાન્ય બાળકો જેટલાં સક્રિય રહી શકતાં નથી, જે તેમની અધ્યયન ઝડપને અવરોધે છે. 

સંપૂર્ણ બહેરાશ ધરાવતાં બાળકો માટેની અધ્યાપન વ્યુહરચના 

  • આવાં બાળકોને સાંકેતિક ભાષાની તાલીમ આપ્યા બાદ જ શિક્ષણ આપવું જોઈએ. 
  • આવાં બાળકો સામે ચાર્ટ, ચિત્રો અને અન્ય દેશ્ય સાધનોની મદદથી વિષયવસ્તુની રજૂઆત કરવી જોઈએ.
  • તેમની સામે શકય હોય ત્યાં સુધી લેખિત સ્વરૂપે વિષયવસ્તુની રજૂઆત કરવી જોઈએ. 
  • આવાં બાળકોને અન્ય સામાન્ય બાળકો માટેની મુખ્ય પ્રવાહની શાળામાં સમાવવા જોઈએ, જેથી તેમને સામાજિક સ્વીકૃતિ મળે અને તેમના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકાય. 
  • સમાવેશક શાળામાં આવાં બાળકો માટે શિક્ષકે કથન દ્વારા અને સાથે સાથે સાંકેતિક ભાષામાં વિષયવસ્તુની રજૂઆત કરવી જોઈએ. 
  • આવાં બાળકો માટે સાંકેતિક ભાષામાં તૈયાર કરવામાં આવેલી ફિલ્મ કે વિડીઓ દ્વારા વિષયવસ્તુની રજુઆત કરવી જોઈએ. 
  • આવાં બાળકોને વાણી વાચન (Lip Reading) ની તાલીમ આપવી જોઈએ, જેથી શિક્ષકના હોઠના હલન - ચલનને આધારે તેઓ શિક્ષકની રજૂઆતને સમજી શકે. 
  • બાળકને શિક્ષકનો ચહેરો અને હોઠ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે શિક્ષકે વર્ગખંડમાં ઊભા રહીને કથન કરવું જોઈએ, જેથી બાળકો સરળતાથી વાણી વાચન કરી શકે. 
  • આવા બાળકોને મૂક વાચનનો મહાવરો આપવો જોઈએ, જેથી તેઓ લેખિત કે મુદ્રિત અધ્યયન સામગ્રીની મદદથી અધ્યયન કરી શકે. 
  • સમાવેશક વર્ગખંડમાં સહકારી અધ્યયન માટેનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. તે માટેનું સૂક્ષ્મ આયોજન કરવું જોઈએ અને તેનો અસરકારક અમલ કરવો જોઈએ. તે માટે વર્ગખંડનાં અમુક બાળકોને સાંકેતિક ભાષા અંગેની તાલીમ આપવી જોઈએ. આવી તાલીમ મેળવેલ દરેક બાળકને એક બહેરા બાળકના અધ્યયનમાં મદદ કરવા અંગેની જવાબદારી સોંપવી જોઈએ. 
  • આવાં સહાયક બાળકો સાથે શિક્ષકે નિયમિત અંતરે ચર્ચા કરીને તેમને સોંપવામાં આવેલ બાળકની પ્રગતિ અંગે માહિતી મેળવવી જોઈએ. જરૂર જણાય તો સહાયક બાળકને વિશેષ માર્ગદર્શન આપવું જોઈએ, જેથી તને સોંપવામાં આવેલ બાળકને અધ્યયનમાં યોગ્ય રીતે મદદરૂપ થઈ શકે.

સંપૂર્ણ બહેરાશ ધરાવતાં બાળકોનાં સંદર્ભમાં શાળા અને શિક્ષકની વધારાની ભૂમિકા 


સંપૂર્ણ બહેરાશ ધરાવતાં બાળકો માટેની અધ્યાપન મૂહરચનાના સંદર્ભમાં અગાઉના મુદ્દામાં રજૂ કરવામાં આવેલા મુદાઓ સિવાય પણ આવાં બાળકો માટે શાળા અને શિક્ષકે નીચે જણાવેલ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 

  • શાળા સમય સિવાયના સમયમાં આવાં બાળકોને વાણી વાચનની સઘન તાલીમ આપવી જોઈએ. 
  • તેમના માટે વધુમાં વધુ દશ્ય અધ્યયન સામગ્રી તૈયાર કરવી જોઈએ. 
  • તેમને લેખિત સ્વરૂપે જ આવશ્યક સૂચનાઓ આપવી જોઈએ. 
  • સાંકેતિક ભાષાની નિષ્ણાત વ્યકિતઓ શાળામાં આવીને આવ બાળકોને વિશિષ્ટ માર્ગદર્શન આપે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. 
  • આવાં બાળકો સાંવેગિક રીતે મજબૂત બને તે માટેના પ્રયત્નો શાળામાં થવા જોઈએ. 
  • તેમના અહમને હાનિ પહોંચાડે તેવો કોઈપણ વ્યવહાર શાળામાં તેમની સાથે ન થવો જોઈએ. 
  • નિયમિત અંતરે આવાં બાળકોનું પરામર્શન કરવું જોઈએ. 
  • આવાં બાળકોના વાલીઓ માટે પણ નિયમિત સમયાંતરે માર્ગદર્શન અને પરામર્શનના કાર્યક્રમોનું આયોજન શાળામાં થવું જોઈએ. 
  • આવાં બાળકોની વિશિષ્ટ શકિતઓ અને અભિયોગ્યતાની ઓળખ કરીને તેનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓમાં તેમને સાંકળવા જોઈએ. 
  • આવાં બાળકોને સામૂહિક સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં સાંકળવા જોઈએ, જેમાં તેમને અનુકૂળ આવે તેવાં કાર્યો તેમને સોંપવાં જોઈએ, જેથી તેમના વિશિષ્ટ કૌશલ્યોનો વિકાસ કરી શકાય.
  • આવી સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા સામાજિક આંતરક્રિયા કરવા માટેની તક તેમને પૂરી પાડવી જોઈએ, જેથી તેમને સામાજિક સ્વીકૃતિ મળે અને તેમનો સામાજિક વિકાસ યોગ્ય દિશામાં કરી શકાય. 
  • શાળાના અન્ય બાળકોને તેમને મદદરૂપ થવા માટે તૈયાર કરવા જોઈએ. 

આંશિક શ્રવણ અક્ષમતા ધરાવતાં બાળકો માટેની અધ્યાપન વ્યૂહરચના 

  • આવાં બાળકો સામે વિષયવસ્તુના મુદ્દાની રજૂઆત વધુમાં વધુ સ્પષ્ટ અને સરળ ભાષામાં યોગ્ય તીવ્રતાવાળા અવાજ સાથે મૌખિક રીતે કરવી જોઈએ. 
  • વર્ગખંડમાં ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં તેમનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 
  • વર્ગખંડમાં શકય હોય ત્યાં સુધી માહિતીની રજૂઆત લેખિત સ્વરૂપે અથવા અન્ય દેશ્ય સાધનોની મદદથી કરવી જોઈએ. 
  • વર્ગખંડમાં સહકારી અધ્યયન માટેનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. તે માટેનું સૂક્ષ્મ આયોજન કરવું જોઈએ અને તેનો અસરકારક અમલ કરવો જોઈએ. 
  • આવાં દરેક બાળકનાં અભ્યાસની જવાબદારી ઓછામાં ઓછા એક સામાન્ય બાળકને સોંપવી જોઈએ. 
  • જે બાળકને આવાં બાળકનાં અભ્યાસ અંગેની જવાબદારી સોંપવામાં આવી હોય તેની સાથે શિક્ષકે નિયમિત સમયાંતરે ચર્ચા કરતાં રહેવું જોઈએ, જેથી સહાયક બાળકને યોગ્ય માર્ગદર્શન આપી શકાય. જરૂર જણાય તો સહાયક બાળકને તેને સોંપવામાં આવેલ વિશિષ્ટ કામગીરી માટે વિશિષ્ટ તાલીમ પણ આપવી જોઈએ. 
  • આવાં બાળકોને વર્ગખંડમાં અનુકૂળ જગ્યાએ બેઠક વ્યવસ્થા ફાળવવી જોઈએ. શિક્ષકે આ બાબતે ખાસ કાળજી લેવી જોઈએ.

આંશિક શ્રવણ અક્ષમતા ધરાવતાં બાળકોનાં સંદર્ભમાં શાળા અને શિક્ષકની વધારાની ભૂમિકા 


આંશિક બહેરાશ ધરાવતાં બાળકો માટેની અધ્યાપન ભૂહરચનાના સંદર્ભમાં અગાઉના મુદ્દામાં રજૂ કરવામાં આવેલા મુદ્દાઓ સિવાય પણ શાળા અને શિક્ષકે નીચે જણાવેલ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 

  • નિયમિત સમયાંતરે આવાં બાળકોની દાકતરી તપાસ થવી જોઈએ, જેથી પ્રારંભિક કક્ષાએ બાળકોનો ઇલાજ કરીને અક્ષમતાનો વિકાસ અટકાવી શકાય. 
  • શકય હોય તો બાળકોને શ્રવણ સહાયક સાધનો ફાળવવા જોઈએ. જરૂરિયાત ધરાવતાં બાળકો આવાં સાધનોનો ઉપયોગ કરે તેનો આગ્રહ શાળા કક્ષાએ થવો જોઈએ. 
  • નિયમિત દાકતરી તપાસ દ્વારા તેમની અક્ષમતા અંગેની માહિતીનો સંચય કરવો જોઈએ. તેનું વિશ્લેષણ કરતાં રહેવું જોઈએ. તેના આધારે આવાં બાળકોના ઉછેર માટે વાલીઓને માર્ગદર્શન આપવું જોઈએ. 
  • તે સિવાય પણ આવાં બાળકોના વાલીઓ માટે પણ નિયમિત સમયાંતરે માર્ગદર્શન અને પરામર્શનના કાર્યક્રમોનું આયોજન શાળામાં થવું જોઈએ. 
  • આવાં બાળકો સાંવેગિક રીતે મજબૂત બને તે માટેના પ્રયત્નો શાળામાં થવા જોઈએ. 
  • તેમના અહમને હાનિ પહોંચાડે તેવો કોઈપણ વ્યવહાર શાળામાં ન થવો જોઈએ.
  • શિક્ષકોએ આવાં બાળકોનું ખાસ વ્યકિતગત ધ્યાન રાખવું જોઈએ. 
  • નિયમિત અંતરે આવા બાળકોનું પરામર્શન કરવું જોઈએ. 
  • સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા સામાજિક આંતરક્રિયા કરવા માટેની તક તેમને પૂરી પાડવી જોઈએ. જેથી તેમને સામાજિક સ્વીકૃતિ મળે અને સામાજિક વિકાસ યોગ્ય દિશામાં કરી શકાય. 

વાણીની અક્ષમતા પણ એક પ્રકારની આંગિક અને શારીરિક અક્ષમતા છે. જેની અસર બાળકનાં અધ્યયન પર પડે છે. વાણીની અક્ષમતાને કારણે ભાષાની ખામી પેદા થાય છે અને ભાષાની નબળાઈને કારણે વાણીની અક્ષમતા પેદા થાય છે. જન્મથી બહેરાં બાળકો મોટા ભાગે આ બન્ને પ્રકારની ખામીનો ભોગ બનતાં હોય છે. આવાં બાળકોનાં અસરકારક સમાવેશન માટે એક શિક્ષક પાસે આ નબળાઈઓ અંગેની સમજ હોવી ખૂબ જરૂરી છે. 

વાણી અને ભાષાની અક્ષમતા 

વાણી અને ભાષાની અક્ષમતા એ બાળકની સંપ્રેષણ ક્ષમતા સાથે સંકળાયેલી બાબત છે. 
વ્યકિત સ્પષ્ટ ઉચ્ચારણ સાથે પ્રવાહી રીતે બોલી ન શકે તો તે વાણીની અક્ષમતા ધરાવે છે, એમ કહેવાય. આવી ખામીને કારણે કાં તો વ્યકિત પોતાની વાતો સ્પષ્ટ રીતે અભિવ્યકત નથી કરી શકતી અથવા બિલકુલ મૂંગી હોય છે. 
વ્યકિત જયારે કોઈએ કહેલી વાતો સ્પષ્ટ રીતે સમજી શકતી નથી અથવા સ્પષ્ટ રીતે સ્પષ્ટ શબ્દોમાં પોતાના વિચારો, લાગણી અને વાતો સામે વાળી વ્યકિતને સ્પષ્ટ રીતે સમજાય તે રીતે રજૂ ન કરી શકે તો તે ભાષાની અક્ષમતા ધરાવે છે, એમ કહેવાય. 
આ બન્ને પ્રકારની ખામી ધરાવતી વ્યકિતને વાણી અને ભાષાની અક્ષમતા ધરાવતી વ્યકિત તરીકે ઓળખવામાં આવે છે. વ્યકિત બોબડી હોય, તોતડી હોય, અટકી અટકીને બોલતી હોય કે તેના ઉચ્ચારણમાં કોઈપણ પ્રકારની ખામી હોય તો તેને વાણીની ખામી ધરાવતી વ્યકિત તરીકે ઓળખવામાં આવે છે. તેની આ ખામીઓ ભાષાની ખામી પણ ઊભી કરે છે. જન્મથી બહેરી વ્યકિતમાં પણ ભાષાની ખામી જોવા મળે છે, પછી ભલે ને તે વાણી ખામી ધરાવતી હોય કે ન હોય. 

વ્યકિત જો સાંભળેલી વાતોને યોગ્ય સંદર્ભમાં અને સ્પષ્ટ રીતે સમજી ન શકતી હોય તો તે ભાષા અર્થગ્રહણ ક્ષમતા ધરાવતી નથી એમ કહેવાય. જો તે પોતાની વાતો સામે વાળી વ્યકિતને સ્પષ્ટ રીતે સમજાવી ન શકે તો તે અભિવ્યકિતની અક્ષમતા ધરાવે છે તેમ કહેવાય. આ બન્ને પ્રકારની ખામીને ભાષાની અક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. 

વાણી અને ભાષાની અક્ષમતાનાં કારણો 


જો કે ભાષા અને વાણીની અક્ષમતા અમુક વખતે કોઈ અગમ્ય કારણોસર પેદા થાય છે, તેમ છતાં તેનાં કેટલાંક સામાન્ય કારણો નીચે મુજબ જણાવી શકાય. આમાંથી કોઈ એક અથવા વધુ કારણે આ બન્ને પ્રકારની અક્ષમતા પેદા થવાની સંભાવના રહે છે. 

  • અમુક બાળકો જન્મથી જ કોઈ અગમ્ય કારણોસર બોબડાં હોય છે. 
  • જો જન્મથી જ બાળક શ્રવણની સંપૂર્ણ અક્ષમતા ધરાવતું હોય તો તેની ભાષાનો વિકાસ થતો નથી. તેથી તે પોતાની વાતો સ્પષ્ટ રીતે રજૂ કરી શકતું નથી. 
  • મગજના લકવાને કારણે વાણી પર બાળકનું નિયંત્રણ રહેતું નથી તેથી તેની વાણી અને ભાષાનો વિકાસ થતો નથી. 
  • માથા પર, સ્વર પેટી પર, મગજ પર કે ગળા પર ગંભીર ઇજા થવાને કારણે અમુક વખતે વાણી પર અસર થતી હોય છે. આવી ઇજાને કારણે બાળક કાં તો બોલી નથી શકતું નથી અથવા પોતાની વાતો સ્પષ્ટ શબ્દોમાં અભિવ્યકત કરી શકતું નથી. 
  • મંદ બુદ્ધિનાં કે માનસિક અક્ષમતા ધરાવતાં બાળકો શબ્દોને યોગ્ય સંદર્ભમાં સમજી અને વ્યકત કરી શકતાં નથી, તેથી તેમની વાણી અને અભિવ્યકિતનો યોગ્ય વિકાસ થતો નથી.
  • અમુક વખતે જબરદસ્ત માનસિક આઘાત લાગવાને કારણે પણ વ્યકિતનો અવાજ જતો રહે છે અથવા શાબ્દિક અભિવ્યકિતની ક્ષમતા ગુમાવી દે છે. આવા સંજોગોમાં વ્યકિત વાણી અને ભાષાની અક્ષમતાની શિકાર બને છે. 
  • જીભ પર છિદ્ર અથવા રીરા હોવાને કારણો બાળક સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકતું નથી, જેના કારણે તેનામાં વાણી અને ભાષાની અક્ષમતા જોવા મળે છે. 
  • દષ્ટિની ખામીને કારણે અનેક શબ્દોનું યોગ્ય સંદર્ભમાં પ્રત્યક્ષીકરણ થઈ શકતું નથી, તેથી જન્મથી અંધ બાળકની અભિવ્યકિતનો વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી. 
  • નશાકારક પદાર્થોના સતત સેવનને કારણે વાણી અને ભાષાની અક્ષમતાનો વિકાસ થઈ શકે છે. જો કે શાળાનાં બાળકોમાં નશાની કુટેવોનું પ્રમાણ નહિવતુ પ્રમાણમાં જોવા મળે છે. 
  • બાળકના ધર અને સમાજમાં સ્થાનિક લોકબોલીનું પ્રભુત્વ હોય તો મહાવરાને અભાવે શિક્ષણમાં સહાયક સામાન્ય ભાષાનો વિકાસ થતો નથી. 

વાણી અને ભાષાની અક્ષમતાની અધ્યયન પર અસરો


 શિક્ષક અને બાળકનું સંપ્રેષણ કૌશલ્ય એ શિક્ષણનો મુખ્ય આધાર છે. તેના વિના કોઈપણ પ્રકારની શૈક્ષણિક પ્રક્રિયા થઈ શકે નહીં. વાણી અને / અથવા ભાષાની અક્ષમતાને કારણે બાળકનાં સંપ્રેષણ કૌશલ્યનો વિકાસ થતો નથી. જેના કારણે તેના અધ્યયન પર નીચે જણાવ્યા પ્રમાણેની અસરો પડી શકે છે. 

  • સંપૂર્ણ રીતે બોબડું બાળક વર્ગખંડમાં મૌખિક આંતરક્રિયા કરી શકતું નથી. તેથી તે વિષયવસ્તુ સંબંધિત સમસ્યાઓ શિક્ષક સામે રજૂ કરી શકતું નથી. જેના કારણે તે અધ્યયનમાં પાછળ રહી જાય છે.
  • વાણીની આંશિક ખામી ધરાવતું બાળક પણ પોતાની સમસ્યાઓ અસરકારક રીતે રજૂ કરી શકતું નથી. તેની અસર તેના અધ્યયન પર પડે છે. 
  • બાળક તોડું હોય તો અમુક અક્ષરો બોલી શકતું નથી, તેથી તેની ભાષા અસ્પષ્ટ બને છે. પરિણામે તે પોતાની વાતો સ્પષ્ટ રીતે વ્યકત કરી શકતું નથી. આવા સંજોગોમાં તે મૌખિક ચર્ચામાં ભાગ લઈ શકતું નથી, જેની અસર તેના શિક્ષણ પર પડે છે. 
  • બાળક અટકી અટકીને બોલતું હોય તો તેની રજૂઆત અને વાણીમાં સાતત્ય જળવાતું નથી પરિણામે તે પોતાની વાતો સ્પષ્ટ રીતે વ્યકત કરી શકતું નથી. આવા સંજોગોમાં તે મૌખિક ચર્ચામાં ભાગ લઈ શકતું નથી, જેની અસર તેના શિક્ષણ પર પડે છે. 
  • આવાં બાળકોની મૌખિક અભિવ્યકિતનો વિકાસ થતો નથી. 
  • વાણીની આંશિક અક્ષમતા ધરાવતાં બાળકોની ભાષાનો પણ યોગ્ય રીતે વિકાસ થતો નથી. 
  • ભાષાની અક્ષમતા ધરાવતાં બાળકો તેમના વિચારોને યોગ્ય રીતે સંગઈઠત કરી શકતાં નથી, શબ્દોને વાકયમાં સાચી રીતે ગોઠવી શકતાં નથી અને વાકય બનાવવા માટે યોગ્ય શબ્દો ઝડપથી વિચારી શકતાં નથી. પરિણામે તેઓ અસ્પષ્ટ વાકયો બોલે છે અથવા તેમના કથનમાં સાતત્યનો અભાવ જોવા મળે છે, જેના કારણે તેઓ પોતાની વાત યોગ્ય સંદર્ભમાં રજૂ કરી શકતાં નથી.
  • આવાં બાળકોની વાત પણ સામેવાળી વ્યકિતને, ખાસ કરીને શિક્ષકોને અને અન્ય બાળકોને, યોગ્ય રીતે સમજતી નથી. તેથી તેઓ વર્ગખંડમાં થતી ચર્ચામાં ભાગ લઈ શકતાં નથી. 
  • આવાં બાળકો તાર્કિક રીતે પોતાની વાતો રજૂ કરી શકતાં નથી. તેથી તેમની માન્યતાઓ અને વિચારોને યોગ્ય વાચા આપી શકતાં નથી. પરિણામે શિક્ષકો અને વાલીઓ તેમની શકિતઓ અને આવડતો યોગ્ય રીતે ઓળખી શકતા નથી, જેથી તેમને સારુ ઉપયોગી માર્ગદર્શન આપી શકાતું નથી. તેની અસર તેમના વિકાસ પર પડે છે.
  • ભાષાની અક્ષમતાને કારણે તેઓ લેખિત અભિવ્યકિત પણ અસરકારક રીતે કરી શકતાં નથી, પરિણામે પરીક્ષામાં તેઓ સારો દેખાવ કરી શકતા નથી. જેના કારણે તેઓ હતાશ થાય છે અને તેમનો આત્મવિશ્વાસ ધટે છે, તેની અસર તેમના શિક્ષણ પર પડે છે. 
  • ભાષાની અક્ષમતા હોવાને કારણે બાળક શિક્ષકની વાતો યોગ્ય સંદર્ભમાં સમજી શકતું નથી. તેથી કોઈપણ વિષયમાં આવતી પાયાની સંકલ્પનાઓ સમજવામાં પણ તે મુશ્કેલી અનુભવે છે. પરિણામે તે અભ્યાસમાં નબળું સાબિત થાય છે. 
  • શાળામાં શીખવાતી ભાષાઓ અને જે વિષયોમાં વર્ણનાત્મક અભિવ્યકિત કરવાની થાય તેવા વિષયોમાં આવું બાળક સફળતા મેળવી શકતું નથી. 

વાણી અને ભાષાની અક્ષમતા ધરાવતાં બાળકો માટેની અધ્યાપન વ્યૂહરચના 

વાણી અને ભાષાની અક્ષમતા ધરાવતાં બાળકોનાં અધ્યાપન માટે, ખાસ કરીને સમાવેશક શાળા અને વર્ગખંડમાં, નીચે જણાવ્યા પ્રમાણેનાં પગલાં લઈ શકાય. 

  • શિક્ષકે આવાં બાળકોની નોટ્સની સતત તપાસ કરતાં રહેવું જોઈએ. નોટ્સ લખવામાં તેને પડતી મુશ્કેલીઓ જાણીને તે દૂર કરવા માટે તેને વિશિષ્ટ માર્ગદર્શન આપવું જોઈએ. 
  • આવાં બાળક સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે તે માટે તેમને વિશેષ તાલીમ આપવી જોઈએ. 
  • સમાવેશક શાળામાં શિક્ષકે પણ આવી સાંકેતિક ભાષાની તાલીમ લેવી જોઈએ, જેથી તે આવાં બાળકની સાથે સરળતાથી આંતરક્રિયા કરી શકે અને તેની અધ્યયન સંબંધી સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ લાવી શકે.
  • સમાવેશક શાળામાં અન્ય સામાન્ય બાળકોને પણ સાંકેતિક ભાષાની તાલીમ આપવી જોઈએ, જેથી સામાન્ય બાળકો આવાં બાળકો સાથે સહકારી અધ્યયન કરી શકે. 
  • વર્ગખંડના અન્ય અક્ષમતા ન ધરાવતાં બાળકને આવાં બાળકની જવાબદારી સોંપવી જોઈએ, જેથી તે આવાં બાળકને અધ્યયનમાં વ્યકિતગત રીતે મદદરૂપ થઈ શકે. 
  • મદદનીશ બાળક સાથે શિક્ષકે સતત સંપર્કમાં રહી આવાં બાળકની પ્રગતિ અંગેની માહિતી મેળવવી જોઈએ. જરૂર પ્રમાણે મદદનીશ બાળકને પણ યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. 
  • વાણીની સંપૂર્ણ કે આંશિક ખામી ધરાવતાં બાળક પોતાની સમસ્યાઓ લેખિત રીતે રજૂ કરે તે માટેનું પ્રોત્સાહન શિક્ષકે આપવું જોઈએ. આવાં બાળકોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 
  • વાણીની આંશિક ખામી ધરાવતાં બાળકને મૌખિક ચર્ચામાં સાંકળવા જોઈએ. તે જયારે બોલતું હોય ત્યારે શિક્ષક અને અન્ય બાળકોએ ધીરજપૂર્વક તેની રજૂઆત સાંભળવી જોઈએ. જેથી તેમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ વધુમાં વધુ બોલવાનો પ્રયત્ન કરે. 
  • વાણીની અમુક ખામી એવી હોય છે કે જે બોલવાના મહાવરાને કારો દૂર થઈ જાય છે. જેમ કે તોતડાપણું કે અટકી - અટકીને બોલવું જેવી ખામી. તેથી શિક્ષકે બાળકની ખામીની તીવ્રતા જાણવી જોઈએ. જો તેની ખામી ખૂબ જ સામાન્ય કક્ષની જણાય તો વર્ગખંડમાં તેને બોલવાનો વધુમાં વધુ મહાવરો આપવો જોઈએ. 
  • બાળક તોતડું હોય અથવા અમુક અક્ષરો બોલી શકતું ન હોય તો વિશિષ્ટ મહાવરો આપીને તેની આ નબળાઈ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ કાર્ય કરવા માટે શિક્ષકે વિશિષ્ટ સમય ફાળવવો જોઈએ અથવા આવી તાલીમ આપી શકે તેવા સહાયક કર્મચારીની શાળામાં નિમણૂક થવી જોઈએ, જેથી આવા બાળકને નિયમિત રીતે વિશિષ્ટ તાલીમ મળી શકે.
  • ભાષાની અક્ષમતા ધરાવતાં બાળકોને પણ મૌખિક ચર્ચામાં સાંકળવા જોઈએ. તે જયારે બોલતું હોય ત્યારે શિક્ષક અને અન્ય બાળકોએ ધીરજપૂર્વક તેની રજૂઆત સાંભળવી જોઈએ, જેથી તેમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ વધુમાં વધુ બોલવાનો પ્રયત્ન કરે. 
  • આવાં બાળકો સાથે શકય હોય તેટલું નિદર્શન પદ્ધતિથી અધ્યાપન કરવું જોઈએ , જેથી સંકલ્પનાઓનું યોગ્ય સંદર્ભમાં પ્રત્યક્ષીકરણ કરી શકે . 
  • શિક્ષકે બહુમાધ્યમ સંપૂટ, ચિત્ર અને ચાર્ટ વગેરેનો ઉપયોગ કરીને અધ્યાપન કાર્ય કરવું જોઈએ, જેથી ભાષાની અક્ષમતા ધરાવતું બાળક દરેક શબ્દને યોગ્ય સંદર્ભમાં સમજીને યાદ રાખી શકે. 
  • ખૂબ કઠિન અને લાંબા શબ્દોનું તેમની પાસે મૌખિક પુનરાવર્તન કરાવવું જોઈએ, જેથી બાળકો સ્પષ્ટ રીતે તેનો ઉચ્ચાર કરી શકે. 
  • વાણી અને ભાષાની અક્ષમતા ધરાવતાં બાળકો લેખિત રીતે તેમની વાતો વ્યકત કરી શકે તે માટેના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. 
  • વાણી અને ભાષાની અક્ષમતા ધરાવતાં બાળકોને લેખન કાર્ય કરવા માટેનું ગૃહકાર્ય વધુ પ્રમાણમાં આપવું જોઈએ. 
  • આવાં બાળકોની અભિયોગ્યતાઓ શોધીને તેનો વિકાસ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. 
  • શકય હોય ત્યાં સુધી આવાં બાળકો જોડે પ્રાયોગિક કાર્ય વધુ પ્રમાણમાં કરાવવું જોઈએ.

Post a Comment

Please do not enter any spam link in the comment box.