Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

AE - 1 Assessment and Evaluation in Learning

IITE B.Ed SEM 3 
AE 1 - Assessment and Evaluation in Learning
AE 1 - અધ્યયનમાં આકલન અને મુલ્યાંકન

1. કસોટી એટલે શું ?

કસોટી એટલે પ્રતિચારો ઓળખવા અને ભેગા કરવાની એવી રીત છે જે કોઈ વ્યક્તિ અથવા સમૂહના જ્ઞાન, કૌશલ્ય, બુદ્ધિ, અભિયોગ્યતા અથવા સમાન વલણ જેવાં ચોક્કસ વલણોના સંપાદન સુધીના પ્રમાણભૂત પુરાવા પૂરા પાડે છે.


2. માપન એટલે શું ?

માપન એટલે કોઈ બાબતનું સંખ્યાત્મક મૂલ્ય . દા.ત. ઊંચાઈ, દળ કે વજન, સમય, કોઈ વિદ્યાર્થીના કોઈ વિષયમાં પ્રાપ્તાંક વગેરે. 

માપન એટલે કોઈ પદાર્થ, ઘટના કે અવલોકનને કોઈ સંખ્યા સાથે સાંકળવાની પ્રક્રિયા. 

કોઈ પણ માહિતીનું સંખ્યાના સંદર્ભમાં વર્ણન એટલે માપન. 

કોઈ પણ વ્યક્તિમાં કોઈ ચોક્કસ લક્ષણ કેટલી માત્રામાં છે તેનું સાંખ્યિક વર્ણન એટલે માપન.

માપન એટલે અસ્તિત્વમાં હોય તેવી ભૌતિક કે અભૌતિક વસ્તુઓ કે બાબતોના જથ્થાને કોઈ ચોક્કસ પરિમાણના એકમોની સંખ્યા સ્વરૂપે દર્શાવવા તે.


3. માપનનાં પ્રકાર જણાવો.

પ્રત્યક્ષ માપન

પરોક્ષ માપન

સાપેક્ષ માપન


4. પ્રત્યક્ષ માપન કોને કહે છે ?

કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે કોઈ બાબતનું માપન કરે તો પણ તેનું માપ ચોક્કસ અને એકસરખું જ આવે તો તેને પ્રત્યક્ષ માપન કહેવાય.


5. માહિતીનું પૃથક્કરણ કરવા માટે માપનની ચાર કક્ષાઓ જણાવો. 

ઓળખ માપપદ્ધતિ

ક્રમાંક માપપદ્ધતિ

અંતર કે અંતરાલ માપપદ્ધતિ

ગુણોત્તર અંક માપપદ્ધતિ


6. પરીક્ષણ એટલે શું ?

"પરીક્ષણ એટલે વિદ્યાર્થીના અધ્યયન અને વિકાસ અંગેના તારણો તારવવા માટેની વ્યવસ્થિત પ્રક્રિયા, તે અધ્યેતાના અધ્યયનને વધારવાના હેતુસર માહિતીનું એકત્રીકરણ, વ્યાખ્યાયીકરણ, વિશ્લેષણ અને તારણ કાઢવાની પ્રક્રિયા છે."

 "પરીક્ષણ એ અધ્યેતાના અધ્યયન અંગેની આધારભૂત માહિતી છે કે જેનો ઉપયોગ અધ્યેતાના અધ્યયનની વૃદ્ધિ તેમજ સમગ્ર કાર્યક્રમની સુધારણા માટે કરવામાં આવે છે." 

વર્તમાન કાર્યદેખાવ કે સિદ્ધિમાં સુધારણાના હેતુથી માહિતી એકઠી કરવાની, તેની સમીક્ષા કરવાની અને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પરીક્ષણ કહે છે. પરીક્ષણનો અર્થ બાળકની સમજણની ગુણવત્તા માટે છે. 

પરીક્ષણ એટલે જ્યારે વિદ્યાર્થી કોઈ પણ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમમાં શીખવાની પ્રક્રિયામાંથી પસાર થતો હોય ત્યારે તેની સિદ્ધિઓના માપન માટે રચવામાં આવેલાં સાધનો અને પ્રક્રિયા.


7. મુલ્યાંકન એટલે શું ?

કોઈ પણ ઉપયોગિતા માપવાની રીતને મુલ્યાંકન કહે છે.

માપન ઉપરથી નિશ્ચિત કરેલા ધોરણોને ધ્યાનમાં રાખી વ્યક્તિની કક્ષાની મુલવણી કરીએ ત્યારે તેની મુલ્યાંકન કરી શકાય.

અભ્યાસક્રમના મુદ્દાઓ અને શૈક્ષણિક હેતુઓ દ્વારા બાળકોમાં અપેક્ષિત વર્તન - પરિવર્તન આવ્યું છે કે નહિ તે જાણવા માટે મૂલ્યાંકન ઉપયોગી બને છે. માપનના સંખ્યાત્મક મૂલ્ય પરથી ગુણાત્મક નિર્ણય તારવવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહે છે.

 "વિદ્યાર્થીના પક્ષે શૈક્ષણિક ધ્યેયો કેટલા અંશે સિદ્ધ થયા તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન."

"અધ્યયનમાં વિદ્યાર્થીના અધ્યયન વિશે પુરાવાઓ એકઠાં કરવાની પ્રક્રિયા એટલે મૂલ્યાંક્ન." 

 "અમુક ધોરણોના સંદર્ભમાં મૂલ્યવિષયક અંકન એટલે મૂલ્યાંકન."

 "વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણની યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયાને મૂલ્યાંકન કહી શકાય." 

મૂલ્યાંકન એ વિદ્યાર્થીઓનું મૂલ્ય આંકવા માટે કરવામાં આવતાં વ્યવધાનોની પ્રક્રિયાના પરિપાકરૂપ ગણાવી શકાય.

 રૂઢિગત કસોટીઓ અને પરીક્ષાઓના માપન પરથી વ્યાપક નિર્ણયો તારવવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહે છે. 

હેતુલક્ષી શિક્ષણકાર્યની સફળતા - નિષ્ફળતાની ચકાસણી એટલે મૂલ્યાંકન


8. મુલ્યાંકન પ્રક્રિયાના સોપાનો જણાવો

હેતુઓનું નિર્ધારણ અને સ્પષ્ટીકરણ 

શૈક્ષણિક અધ્યયન અનુભવોનું આયોજન 

મૂલ્યાંકન પ્રયુક્તિની પસંદગી મૂલ્યાંકન 

કસોટીની રચના કરવી 

મૂલ્યાંકન કસોટી આપવી 

પરિણામોનું અર્થઘટન


9. મુલ્યાંકન સિદ્ધાંતો જણાવો.

શીખવા માટેનું અધ્યયન

અધ્યયન ધ્યેયો વિધાર્થીઓ સાથે વહેંચવા

વિદ્યાર્થીઓ અધ્યયન હેતુઓના ધોરણોને જાણી શકે તે માટે મદદ કરવી

યોગ્ય મૂલ્યાંકન પ્રયુક્તિઓનું આયોજન કરવુંં

સર્વગ્રાહી મૂલ્યાંકન માટેનું આયોજન કરવું

વિદ્યાર્થીને સો મૂલ્યાંકન માટે સહભાગી બનાવવા.

અસરકારક પ્રતિપોષણ નો સિદ્ધાંત

કાર્ય વ્યસ્તતા અને પ્રેરણા

વિષયવસ્તુનું જ્ઞાન

આયોજન અને પ્રત્યાયન


10. મૂલ્યાંકનનું મહત્વ જણાવો.

મૂલ્યાંકન દ્વારા ઉચિત શૈક્ષણિક નિર્ણય લઈ શકાય છે. 

મૂલ્યાંકનથી એ ખબર પડે છે કે, શૈક્ષણિક ઉદ્દેશ્યોની પ્રાપ્તિ કેટલી હદ સુધી થઈ છે. 

મૂલ્યાંકન દ્વારા શિક્ષકોની અસરકારકતા વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. 

મૂલ્યાંકન દ્વારા વિષય - વસ્તુ કે પાઠ્યક્રમમાં પરિવર્તન કરીને સુધારણા લાવી શકાય છે. 

મૂલ્યાંકન દ્વારા શિક્ષણના ઉદ્દેશ્ય સ્પષ્ટ થાય છે. 

શિક્ષણ પદ્ધતિઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરી શકાય છે. 

તેના દ્વારા ખબર પડે છે કે ક્યા વિશિષ્ટ ઉદ્દેશ્યોની પ્રાપ્તિ નથી થઇ તથા તે ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે ઉપાયો વિચારી શકાય છે.


11. અધ્યયન માટેનું પરીક્ષણ કોને કહે છે ?

વિદ્યાર્થીઓ અધ્યયન પ્રક્રિયામાં ક્યા તબક્કે પહોંચ્યા છે, તેઓએ ક્યાં પહોંચવાનું છે અને ત્યાં પહોંચવા માટેનો શ્રેષ્ઠ માર્ગ ક્યો છે - આ ત્રણ બાબતો માટે વિદ્યાર્થીના અધ્યયનની માહિતી એકત્રિત કરીને તેનું અર્થઘટન કરવાની સતત ચાલતી પ્રક્રિયા એટલે અધ્યયન માટેનું પરીક્ષણ.


12. અધ્યયનનું પરીક્ષણ કોને કહે છે ?

અધ્યયનનું પરીક્ષણ એટલે નિશ્ચિત સમયમર્યાદામાં થયેલ અધ્યયનનો સારાંશ મેળવવાના હેતુથી, પૂર્વનિશ્ચિત માપદંડોને આધારે અધ્યેતાની ગુણવત્તા અંગેનો નિર્ણય લેવાના હેતુથી તેમજ ગુણવત્તાને ચોક્કસ અંકો દ્વારા દર્શાવવાના હેતુસર કરવામાં આવતું અધ્યયનનાનિર્દેશકોનું એકત્રીકરણ અને અર્થઘટન ક૨વાની પ્રક્રિયા.


13.વિકાસાત્મક મૂલ્યાંકન એટલે શું ?

વિદ્યાર્થીને શીખવવામાં આવેલ અભ્યાસક્રમના કોઈ ચોક્કસ એકમનું, ભય વિનાના અને પ્રોત્સાહક વાતાવરણમાં વિકાસાત્મક પદ્ધતિથી કરવામાં આવતું મૂલ્યાંકન એટલે વિકાસાત્મક મૂલ્યાંકન.


14. વિકાસાત્મક મૂલ્યાંકન કરવાની રીતો અથવા પ્રવિધીઓ જણાવો.

પ્રોજેક્ટ

એસાઈમેન્ટ

ક્વિઝ

મૌખિક પ્રશ્નો

જુથ ચર્ચા

વર્ગ કાર્ય

ગૃહ કાર્ય


15. સંકલનાત્મક મૂલ્યાંકન અથવા સત્રાંત મૂલ્યાંકન કોને કહે છે ?

નિશ્ચિત પાઠ્યક્રમ પૂર્ણ થયા બાદ તેને ચકાસવા માટે થતું મૂલ્યાંકન એટલે સત્રાંત મૂલ્યાંકન

ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક પરીક્ષા દ્વારા થતું મૂલ્યાંકન એટલે સંકલનાત્મક મૂલ્યાંકન.

નિશ્ચિત કરેલ હેતુઓ સિદ્ધ થયા કે નહિ તે જાણવા માટે જે મૂલ્યાંકન હાથ ધરવામાં આવે તેને પણ સંકલનાત્મક કે સત્રાંત મૂલ્યાંકન કહે છે.


16. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે શું ?

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીની વિદ્યાકીય સિદ્ધિ (વિવિધ વિષયોની પરીક્ષા) અને બિનવિદ્યાકીય બાબતો જેવી કે શારીરિક સ્વાસ્થ્ય, રસ, વલણ, અભિરુચિઓ, વૈયક્તિક અને સામાજિક ગુણો, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે સાહિત્યિક તથા અભ્યાસ વર્તુળો અને રમતો, ખેલકૂદ, એન.સી.સી. એન.એસ.એસ., સ્કાઉટિંગ વગેરેનું સતત એકધારા વિકાસ માટે જરૂરી પ્રતિપોષણ અને અનુકાર્ય પૂરાં પાડતું નિયમિત અને સતત મૂલ્યાંકન.સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીના વિકાસનાં બધાં જ પાસાઓની પ્રગતિનું વારંવારનું મૂલ્યાંકન અને તે અંગેનો અહેવાલ.


17. પરીક્ષાના પ્રકારો જણાવો.

લેખિત પરિક્ષા

મૌખિક પરીક્ષા

કાર્યદેખાવ પરીક્ષા


18. લેખિત પરીક્ષાના બે સ્વરૂપો જણાવો.

વિષયોના લેખિત પેપર સ્વરૂપે

લેખિત અભિવ્યકિત અને લેખિત સંકલન સ્વરૂપે


19. મૌખિક પરીક્ષા બે પ્રકાર જણાવો.

મૌખિક પ્રતિચાર કસોટી

મૌખિક દેખાવ કસોટી


20. કાર્યદેખાવ આધારિત પરીક્ષા એટલે શું ?

"કાર્યદેખાવ આધારિત પરીક્ષા એટલે જે પરીક્ષામાં પરીક્ષાર્થીઓએ કોઈ ચોક્કસ બાબતના સંદર્ભમાં ક્રિયાનું નિદર્શન કરવાનું હોય, ક્રિયા ઓળખવાની હોય કે ક્રિયા કરવાની હોય"

વાસ્તવિક પરિસ્થિતિ માં કોઈ કાર્ય કરી બતાવવું કે નિર્દેશન કરવું તેને કાર્ય દેખાવ પરીક્ષા કહે છે.


21. બ્લૂ પ્રિન્ટ એટલે શું ?

સારા પ્રશ્નપત્રની રચના કરતાં પહેલાં હેતુઓ, પ્રશ્નોના સ્વરૂપ અને અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ તન્નો તૈયાર કરવામાં આવે છે તેને બ્લૂ પ્રિન્ટના નામથી ઓળખવામાં આવે છે.

બ્લૂ પ્રિન્ટ એટલે પ્રશ્નપેપરનું આયોજન. પ્રશ્ન કાઢવાની શરૂઆત પહેલાં જે પૂર્વ તૈયારી કરવામાં આવે છે, તેને બ્લ્યૂ - પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. 

પ્રશ્નપત્રની રચનાના પાયામાં વિષયવસ્તુ, હેતુઓ અને પ્રશ્નપ્રકાર જેવાં ત્રણ પરિણામો છે, એ ત્રણેયનું કેટલું સ્થાન છે, તે બાબતનો નકશો એટલે જ બ્લ્યૂ પ્રિન્ટ. 

હેતુ સિદ્ધ કરવા કયાં અને કેવા સ્વરૂપના પ્રશ્નો પૂછવા, તે માટે કેટલો અભ્યાસક્રમ આવરી લેવો, જુદા - જુદા વિભાગોને કેટલો ભાર આપવો... વગેરે બાબતનું આયોજન એટલે બ્લૂ પ્રિન્ટ.


22. પ્રશ્નપત્રની બ્લ્યૂપ્રિન્ટ બનાવતા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.

અભ્યાસક્રમના ક્યા મુદ્દાને કેટલું પ્રતિનિધિત્વ આપવું ? 

પસંદ કરાયેલા મુદ્દાને કેટલો ભાર આપવો ? 

ક્યા હેતુઓની સિદ્ધિ ચકાસવી છે ? 

ભિન્ન - ભિન્ન સ્વરૂપના પ્રશ્નોનું પ્રમાણ કેટલું રાખવું છે ? 

એના પર કેટલા ગુણ ફાળવવા છે ? 

વિકલ્પોની યોજના કેવી રાખવી છે ? 

પ્રશ્નોનું કઠિનતામૂલ્ય તેમજ તારવણીમૂલ્ય જળવાઈ રહે તેની પૂરી કાળજી રાખવી.


23. બ્લ્યૂપ્રિન્ટ માં E, S અને O નું પૂરું નામ જણાવો.

E - Essay Type Questions (નિબંધ પ્રકારનાં પ્રશ્નો)

S - Short Answer Type Questions (ટુંક જવાબી પ્રશ્નો)

O - Objective Type Questions (હેતુલક્ષી પ્રશ્નો)


24. બ્લ્યૂપ્રિન્ટ માં K, U, A અને S નું પૂરું નામ જણાવો.

K = Knowledge - જ્ઞાન

U = Understanding - સમજ

A = Application - ઉપયોજન

S = Skill - કૌશલ્ય


25. સારા પ્રશ્નપત્રના લક્ષણો જણાવો.

અભ્યાસક્રમના દરેક મુદ્દાઓનું પ્રતિનિધિત્વ 

બધાજ હેતુઓની ચકાસણી કરતાં પ્રશ્નો 

બધા જ પ્રકારના પ્રશ્નોનો યોગ્ય સમાવેશ અને પ્રશ્નોમાં સ્પષ્ટતા 

યોગ્ય સમયમર્યાદા 

પ્રશ્નપત્રની પ્રમાણભૂતતા અને વિશ્વસનીયતા 

કઠિનતામૂલ્ય અને તારવણીમૂલ્ય 

પ્રશ્નોની ભાષાસ્પષ્ટતા 

પ્રશ્નપત્રમાં વિભાગો 

વિકલ્પોની યોજના 

ગુણાંકન યોજના


26. અવલોકન એટલે શું ?

અવલોકન એટલે શારીરિક કે બાહ્ય બાબતો ઉપરાંત આંતરિક બાબતો સાથે સંકળાયેલ વર્તનોનો પણ અભ્યાસ કરવો. 

અવલોકન એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ કે ઘટનાને ધ્યાનપૂર્વક નિહાળી તેના ચોક્કસ પાસાંઓથી જ્ઞાત થવું


27. સ્વ - પરીક્ષણ એટલે શું ?

જો વિદ્યાર્થી પોતે જ પોતાનું પરીક્ષણ કરે તો તેને સ્વ - પરીક્ષણ કહેવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિ પોતે જ પોતાનું પરીક્ષણ કરે તો તે સ્વ - પરીક્ષણ કરે છે તેમ કહેવાય.


28.  સ્વ - પરીક્ષણ માટેની પ્રયુક્તિઓ જણાવો.

પાઠ્યપુસ્તકમાં આપેલા સ્વાધ્યાય પ્રવૃતિઓ દ્વારા

સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા

અભિક્રમિત અધ્યયન દ્વારા

શૈક્ષણીક પદ્ધતિઓ દ્વારા

અનાતમલક્ષી પ્રશ્નો દ્વારા

ઓળખયાદી


29. સામાજિકતામિતિ કોને કહે છે ?

"સામાજિકતામિતિ એ ચોક્કસ પ્રતિકો અને ચિહ્નોનાં ઉપયોગવાળું એવું રેખાચિત્ર છે જે કોઈ સામાજિક જૂથ કે સમૂહના સભ્યોમાં સામાજિક સ્વીકૃતિ કે સામાજિક અસ્વીકૃતિ પ્રદર્શિત કરવા માટે પ્રયુક્ત થાય છે."


30. પ્રશ્નાવલિ એટલે શું ?

સંશોધન અભ્યાસના હેતુઓને અનુરૂપ જરૂરી માહિતી મેળવવા માટેનમૂનાનાં પાત્રોને આપવામાં આવતા વ્યવસ્થિત પ્રશ્નોના સમૂહને પ્રશ્નાવલિ કહે છે. 

પ્રશ્નાવલિ એટલે પ્રશ્નોનો સમૂહ, નિશ્ચિત હેતુ માટેતૈયાર કરેલા પ્રશ્નોનીહારમાળા દર્શાવતું પત્રક અને વિદ્યાર્થીઓ કે નમૂનાના પાત્રો પાસેથી સાચા ઉત્તરો મેળવવાનું સંશોધન સાધન અને વિશાળ સમુદાયમાંથી માહિતી એકત્રિત કરવાનું સાધન.


31. ક્રમમાપદંડ એટલે શું ?

વ્યક્તિમાં જુદા જુદા ગુણો કેટલી માત્રામાં વિકસ્યા છે તેનું બાહ્ય વ્યક્તિ દ્વારા અવલોકન કરીને પદ્ધતિસર રીતે નોંધ કરાવવાની પ્રયુક્તિ કે સાધનને ક્રમમાપદંડ કહેવામાં આવે છે. 

કોઈપણ વ્યક્તિમાં રહેલા વ્યક્તિત્વના લક્ષણોનું માપ પ્રમાણ દર્શાવતો ક્રમ એટલે ક્રમમાપદંડ.


32. ક્રમમાપદંડનાં પ્રકારો જણાવો.

સાંખ્યિક ક્રમમાપદંડ

વર્ણનાત્મક ક્રમમાપદંડ

આલેખીત ક્રમમાપદંડ


33. પ્રાસંગિક નોંધ એટલે શું ?

"પ્રસંગનોંધ એ પ્રાસંગિક અવલોકનનું એક ખાસ સ્વરૂપ છે. તે શિક્ષકે નોંધેલા બાળકના સંક્ષિપ્ત, ચોક્કસ અને વારંવારના વર્તનો અને બાળકના વ્યક્તિત્વના અવલોકનોનું વર્ણન છે."

 "વિદ્યાર્થીના જીવનમાં બનતા મહત્વના પ્રસંગનો અહેવાલ તે પ્રાસંગિક નોંધ કહેવાય." 


34. ઉપચારાત્મક કાર્ય એટલે શું ?

નિદાન કાર્ય દ્વારા વિદ્યાર્થીની ખામીઓ અને તે પેદા થવાનાં જે કારણો શોધ્યાં હોય તેને અસ ૨ કારક રીતે દૂર કરી વિદ્યાર્થીઓમાં હેતુસિદ્ધિના અંતરાયો દૂર કરવાની ક્રિયાને ઉપચારાત્મક કાર્ય કહે છે.


35. મનોવૈજ્ઞાનિક કસોટી કોને કહે છે ?

“વ્યક્તિના વર્તનના નમૂનાનું અનાત્મલક્ષી અને પ્રમાણિત માપન કરવા માટેના સાધનને મનોવૈજ્ઞાનિક કસોટી કહે છે.” 

“શાબ્દિક કે અશાબ્દિક વર્તનોના નમૂના વડે લક્ષણના એક કે તેથી વધુ પાસાંઓનું સંખ્યાત્મક કે ગુણાત્મક માપન કરવા માટેની પ્રમાણિત રીત મનોવૈજ્ઞાનિક કસોટી તરીકે ઓળખાય છે.” 

 "માપન હેઠળના લક્ષણનાં સંદર્ભમાં બે કે તેથી વધુ વ્યક્તિઓની તુલના કરવા માટેની વ્યવસ્થિત પદ્ધતિ એટલે મનોવૈજ્ઞાનિક કસોટી ''


36. સાદી શ્રેણી, ખંડિત શ્રેણી અને અખંડિત શ્રેણી એટલે શું ?

જો સ્વતંત્ર રીતે વિવિધ અવલોકનો દર્શાવવામાં આવ્યા હોય તો તેને સાદી શ્રેણી કહે છે.

જે ચલની કિંમત ફક્ત પૂર્ણાંકમાં જ દર્શાવી શકાય તેને ખંડિત ચલ કે અસતત ચલ કહે છે.

જે ચલની કિંમત પૂર્ણાંક અને અપૂર્ણાંક એમ બંનેમાં દર્શાવી શકાય તેને અખંડિત કે સતત ચલ કહે છે.


37. વર્ગના બે પ્રકાર જણાવો.

નિવારક વર્ગ

અનિવારક વર્ગ


38. નિવારક વર્ગ અને અનિવારક વર્ગ કોને કહે છે ?

જે વર્ગની ઊર્ધ્વ સીમાના પ્રાપ્તાંકની આવૃત્તિ તે પછીના વર્ગમાં દર્શાવવામાં આવે તેને નિવા૨ક વર્ગ કહે છે. 

આપેલા હોય તો આપેલા વર્ગને સમાવતા પ્રત્યેક પ્રાપ્તાંકની આવૃત્તિ તે જ વર્ગમાં દર્શાવવામાં આવે તો તે વર્ગને અનિવારક વર્ગ કહે છે.


39. અધઃસીમા અને ઊર્ધ્વસીમા કોને કહે છે ?

જે તે વર્ગના ન્યૂનતમ પ્રાપ્તાંકને વર્ગની અધઃસીમા કહે છે. 

જે તે વર્ગના મહત્તમ પ્રાપ્તાંકને તે વર્ગની ઊર્ધ્વસીમા કહે છે.

40. અધઃસીમા બિંદુ, ઊર્ધ્વસીમા બિંદુ, મધ્યબિંદુ અને વર્ગલંબાઈ કોને કહે છે ?

આપેલા વર્ગની અધઃસીમા અને તે વર્ગના પહેલાંના વર્ગની ઊર્ધ્વસીમાની સરેરાશને આપેલા વર્ગનું અધઃસીમા બિંદુ કહે છે.

આપેલા વર્ગની ઊર્ધ્વસીમા અને તે પછીના વર્ગની અધઃસીમાની સરેરાશને આપેલા વર્ગનું ઊર્ધ્વસીમા બિંદુ કહે છે.

આપેલા વર્ગની અધઃસીમા અને ઊર્ધ્વસીમાની સરેરાશને તે વર્ગનું મધ્યબિંદુ કહે છે. 

આપેલા વર્ગમાં સમાવિષ્ટ પ્રાપ્તાંકોની સંખ્યાને તે વર્ગની વર્ગલંબાઈ કહે છે.


41. સંચયી આવૃત્તિ એટલે શું ?

આપેલા વર્ગની આવૃત્તિ અને તે વર્ગની પહેલાં આવેલા તમામ વર્ગની કુલ આવૃત્તિના સરવાળાને તે વર્ગની સંચયી આવૃત્તિ કહે છે.


42. મધ્યવર્તી સ્થિતિમાન એટલે શું ?

આપેલ માહિતીમાં બરાબર મધ્યમાં આવતું માપ કે જે સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ કરતું હોય તેને મધ્યવર્તી સ્થિતિમાન કહે છે.


43. મધ્યક, મધ્યસ્થ અને બહુલક એટલે શું ?

આપેલા અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતાં મળતાં અંકને મધ્યક, સરાસરી કે સરેરાશ કહે છે.

મધ્યસ્થ એટલે કે મધ્યમાં રહેલો પ્રાપ્તાંક

આપેલા પ્રાપ્તાંકોની શ્રેણીમાં જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવતો હોય તેને બહુલક કહે છે. સંજ્ઞામાં તેને Z તરીકે દર્શાવાય છે.


44. મધ્યકનો ઉપયોગ જણાવો.

  મધ્યક શોધવામાં દરેક પ્રાપ્તાંકનો ઉપયોગ થાય છે . તેથી દરેક પ્રાપ્તાંકને ગણતરીમાં લેવાનો હોય ત્યારે મધ્યક શોધવો જોઈએ. 

મધ્યક મધ્યવર્તી સ્થિતિમાનનું ખૂબજચોક્કસ અને આધારભૂત માપ છે. તેથી ખૂબ જ ચોકસાઈની જરૂર હોય ત્યાં મધ્યકનું માપ વાપરવું. ખાસ કરીને પ્રમાણભૂત કસોટીના માનાંકો (Norms) જેવાં કે વય, સરાસરી હાજરી કે વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર શોધવી. 

વિશાળ સમૂહની માહિતીને ટૂંકમાં દર્શાવી તે સમૂહની ખાસિયતો જાણી શકાય છે. લોકો તેમના રોજિંદા જીવનમાં વ્યાવહારિક રીતે મધ્યકનો વિશેષ ઉપયોગ કરે છે.


45. મધ્યસ્થનો ઉપયોગ જણાવો

 મધ્યક કે સરાસરી કરતાં થોડું ઓછું ચોક્કસ એવું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ જરા ઝડપથી ગણવાના પ્રસંગે મધ્યસ્થનો ઉપયોગ થાય. 

પ્રાપ્તાંકોના નિરીક્ષણ માત્રથી સરળતાથી મધ્યસ્થની કિંમત મેળવી શકાય છે. 

કયો પ્રાપ્તાંક આપેલ શ્રેણીને બે સમાન ભાગમાં વહેંચે છે તે જાણવું હોય ત્યારે મધ્યસ્થની ગણતરી કરવામાં આવે છે. 

જ્યારે શ્રેણીના છેડા ઉપર આવેલા પ્રાપ્તાંકો મધ્યકની ગણતરી ઉપર અનુચિત અસર પાડે તેવો સંભવ હોય ત્યારે મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે મધ્યસ્થ વાપરવું સારું ગણાય.


46. બહુલકના ઉપયોગો જણાવો.

 કોઈ ગણતરી કર્યા વગર મધ્યવર્તી સ્થિતિના માપનો માત્ર ઝડપી અંદાજ મેળવવો હોય ત્યારે કાચો બહુલક ઉપયોગમાં લઈ શકાય. 

આવૃત્તિ વિતરણમાં ક્યા બિંદુ પાસે મહત્તમ પ્રાપ્તાંકો કેન્દ્રિત થયેલા છે તે જાણવા માટે સાચા બહુલકનો ઉપયોગ કરી શકાય.


47. ચલિતતાનો અર્થ આપો.

આપેલી શ્રેણીના પ્રાપ્તાંકો તેમના કેન્દ્રિય મૂલ્યથી કેટલે સુધી પ્રસરેલા છે તે દર્શાવતા માપને પ્રસાર કહે છે. પ્રસાર દર્શાવતા આ માપને પ્રસારમાન કે ચલિતતા કહે છે.


48. પ્રસારમાપના ચાર માપો જણાવો.

વિસ્તાર

સરેરાશ વિચલન

પ્રમાણિત વિચલન

ચતુર્થક વિચલન


49. પ્રમાણિત વિચલન એટલે શું ?

આપેલી પ્રાપ્તાંક શ્રેણી માટે મધ્યકમાંથી લીધેલા પ્રાપ્તાંકોના વિચલનોના વર્ગોની સરેરાશના ધન વર્ગમૂળને તે પ્રાપ્તાંક શ્રેણીનું પ્રમાણિત વિચલન કહે છે.


50. સહસંબંધનો અર્થ આપો.

“સહસંબંધ એટલે બે શ્રેણી અથવા સમૂહ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ” 

જો બે ચલની કિંમતોમાં એક સાથે ફેરફારો થતાં હોય અને તે બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યકારણનો સંબંધ હોય તો તેમની વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. 

કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો પૈકી એક ચલની કિંમતમાં ફેરફાર કરવાથી બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય.


51. સહસંબંધના પ્રકારો જણાવો.

1. સંપૂર્ણ ધન સહસંબંધ 

2. આંશિક ધન સહસંબંધ 

3. સંપૂર્ણ ઋણ સહસંબંધ 

4. આંશિક ઋણ સહસંબંધ 

5. સહસંબંધનો અભાવ


52. શતાંશસ્થનો અર્થ જણાવો.

પ્રાપ્તાંકોના વિતરણમાં 10 ટકા, 20 ટકા, 30 ટકા, 82 ટકા, 99 ટકા પ્રાપ્તાંકો જેની નીચે આવેલાં હોય તેવાં બિંદુને અને વિતરણમાં આવા પ્રાપ્તાંકોને શતાંશસ્થ (Percentile) કહે છે.


53. શતાંશસ્થની ઉપયોગિતા

શતાંશસ્થની ગણતરી સરળ હોવાથી તે જલદી સમજી શકાય છે, તેથી આંકડાશાસ્ત્રની જાણકારી ન હોય તેવી વ્યક્તિઓ સમક્ષ માહિતી સરળતાથી તેમજ સંતોષકારક રીતે રજૂ કરી શકાય છે. 

શાળામાં લેવાતી કસોટીઓમાં વિદ્યાર્થીઓને મળેલા પ્રાપ્તાંકોની તુલના કરવી હોય ત્યારે તે કસોટીઓમાં વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા સ્થાનની તુલના કરવા શતાંશસ્થ ઉપયોગી બને છે. 

કોઈ એક વિદ્યાર્થીના કાર્યની તુલના આખા વર્ગની સાથે કરી શકાય છે. 

શતાંશસ્થની ગણતરી કરવાનું કાર્ય ખૂબ સરળ છે. 

જ્યારે કોઈ પણ પ્રાપ્તાંકોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવો હોય ત્યારે શતાંશસ્થનો ઉપયોગ થાય છે.


54. CBSE પૂરું નામ જણાવો.

CBSE - Central Board Of Secondary Education


55. FA અને SA પૂરું નામ જણાવો.

FA - Formative Assessment

SA - Summative Assessment


56. CCE પ્રણાલીના લક્ષ્યો જણાવો

ગોખણપટ્ટીને રોકવી

સર્વગ્રાહી પરીક્ષણ

વધુ મુક્ત સમય

સારું પરિણામ


57. CBCS ની કાર્યપ્રણાલીના ઘટકો જણાવો.

 સેમેસ્ટર પ્રણાલી 

ક્રેડિટ પ્રણાલી 

ક્રેડિટ ટ્રાન્સફર 

CCE- સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન 

ગ્રેડિંગ પ્રણાલી કે ગ્રેડિંગ માનદંડ


58. GPA ( ગ્રેડ પોઇન્ટ એવરેજ) ના બે પ્રકારો જણાવો.

SGPA - Semester Grade Point Average

CGPA - Cumulative Grade Point Average 


59. સેમેસ્ટર ગ્રેડ પોઈન્ટ એવરેજ (SGPA) એટલે શું ?

દરેક સેમેસ્ટરના અંતે ગુણપત્રકમાં SGPA લખવામાં આવે છે. પ્રત્યેક સેમેસ્ટરમાં વિદ્યાર્થીના કાર્યદેખાવને ધ્યાનમાં રાખી સેમેસ્ટર વાઈઝ વિદ્યાર્થીએ મેળવેલ ગ્રેડને સેમેરટર ગ્રેડ પોઈન્ટ એવરેજ કહે છે.


60. પ્રમાણિત કસોટીનો અર્થ આપો.

"પ્રમાણિત કસોટી એ એક એવી કસોટી છે જેમાં કસોટીના પ્રશ્નોનાં નિશ્ચિત નમૂના હોય છે, ગુણાંકન કરવા માટેનાં ખાસ દિશાસૂચનો હોય છે અને માનાંકો કે ધોરણો સ્થાપિત કરવાના હેતુથી પ્રતિનિધિરૂપ જૂથોને તે આપવામાં આવે છે."

 "કોઈ સમષ્ટિના પ્રમાણિત નમૂનાની વ્યક્તિઓનાં વર્તન પાસાંનો અનાત્મલક્ષીપણે અભ્યાસ કરવાનું સાધન એ પ્રમાણિત કસોટી છે."


61. પ્રમાણિત કસોટી રચનાનાં સોપાનો જણાવો.

હેતુઓ નિશ્ચિત કરવા

કસોટીનું કાચું સ્વરૂપ નક્કી કરવું

પૂર્વ અજમાયશ કરવી

કસોટીનું અંતિમ સ્વરૂપ તૈયાર કરવું


62. ASSET નું પૂરું નામ જણાવો.

Assessment of Scholastic Skills Through Educational Initiatives


63. ઓનલાઈન પરીક્ષાનો અર્થ જણાવો.

ઓનલાઈન પરીક્ષાને ઈ - પરીક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓનલાઈન પરીક્ષા એ ઈન્ટરનેટના માધ્યમથી લેવામાં આવે છે કે જેના વડે દૂર - સુદૂરના વિસ્તારમાં બેઠેલા પરીક્ષાર્થીઓ પણ પરીક્ષા આપી શકે છે. 

ઓનલાઈન પરીક્ષા એ એવી પરીક્ષા છે કે જ્યાં નેટવર્ક જોડાણ અથવા ઈન્ટરનેટના માધ્યમથી પરીક્ષા લેવામાં આવે છે.


64. ઓનલાઈન પરીક્ષાની જરૂરિયાતો જણાવો.

કસોટી મૂલ્યાંકન અત્યંત સરળ હોવાથી આ મૂલ્યાંકન જરૂરી છે.

ઓનલાઈન પરીક્ષા દ્વારા સમય અને પૈસાનો બચાવ થાય છે.

દૂરના સ્થળેથી પણ પરીક્ષા આપી શકાય છે.

સંખ્યા બાધ નથી.

સુધારેલ સુરક્ષા યોજના

 આના કાગળનો વ્યય અને ખર્ચ થતો અટકે છે અને પર્યાવરણની જાળવણી થાય છે.


65. ઓપન બુક એક્ઝામના પ્રકારો જણાવો.

મર્યાદિત કે નિયંત્રિત રીત 

અમર્યાદિત કે અનિયંત્રિત રીત


66. ઓપન બુક એક્ઝામની જરૂરિયાતો જણાવો.

વિષયવસ્તુને બરાબર સમજવા માટે

સમય અને શક્તિનો બચાવ કરવા માટે

પરીક્ષા સંચાલનને સરળ બનાવવા માટે

પરીક્ષામાં ગેર રીતિ ટાળવા માટે

પરીક્ષા માટેના અલગ સ્ટાફની જરૂરિયાત ઘટાડવા માટે


67. ગ્રેડ પ્રકારો જણાવો.

સાંખ્યિક ગ્રેડ

વર્ણ ગ્રેડ

શાબ્દિક ગ્રેડ


68. ગ્રેડ દ્વારા પરિણામની રજૂઆત કરવાના અભિગમો જણાવો.

ટકાવારી કે ગુણ આધારિત ગ્રેડ

સાપેક્ષ કે તુલનાત્મક ગ્રેડ


69. નિરપેક્ષ ગ્રેડીંગ એટલે શું ?

પરીક્ષણના પૂર્વનિર્ધારિત માપદંડોના આધારે વ્યક્તિગત ક્ષમતાને ધ્યાનમાં લઈ અન્ય સાથેની તુલના કર્યા સિવાય બાળકોને ગ્રેડ પ્રદાન કરવા એટલે નિરપેક્ષ ગ્રેડીંગ.


70. સાપેક્ષ ગ્રેડિંગ એટલે શું ?

પરીક્ષણના અંતે વિદ્યાર્થીજૂથનાં દેખાવ અનુસાર નિર્ધારિત કરવામાં આવતા માપદંડોના આધારે વિદ્યાર્થીના કાર્યની જૂથના અન્ય વિદ્યાર્થીઓના કાર્ય સાથે તુલના કર્યા બાદ વિદ્યાર્થીઓને ગ્રેડ પ્રદાન કરવા એટલે સાપેક્ષ ગ્રેડિંગ

Post a Comment

Please do not enter any spam link in the comment box.