Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

મુદ્લિયાર પંચ (માધ્યમિક શિક્ષણ પંચ 1952-53)

  • ડો. લક્ષ્મણ સ્વામી ( લંકાસ્વામી) મુદ્લિયારની અધ્યક્ષતામાં  23, સપ્ટેમ્બર 1952માં પંચની સ્થાપના કરવામાં આવી.
  • અભ્યાસક્રમમાં વૈવિધ્ય લાવવું, ત્રિસ્તરીય સ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવાની ભલામણ કરી.
  • પંચે નોંધ્યું કે તત્કાલીન અભ્યાસક્રમ અને અધ્યાપન પરીક્ષાકેન્દ્રી બની ગયું છે. જેના કારણે વિધાર્થીની રસરુચિ, મૌલિકતા અને ક્ષમતાઓ પર વિઘાતક અસર પડે છે.

મુખ્ય ભલામણો :

  • હેતુલક્ષી પરીક્ષા પદ્ધતિ અપનાવવી. સ્કૂલોએ વિદ્યાર્થીની પ્રગતિનો રેકોર્ડ રાખવો અને સર્વાંગી પ્રગતિ પર ભાર મૂકવો. 
  • સંખ્યાત્મક ગુણ (માર્કસ) આપવાના બદલે સાંકેતિક અંકન (ગ્રેડ) પદ્ધતિને અનુસરવું.
  • એક જાહેર પરીક્ષા લેવી જેનાં અંતિમ પરિમાણ આપતી વખતે શાળા દ્વારા લેવામાં આવેલી કસોટીઓ, સ્કૂલ રેકોર્ડ અને જાહેર પરીક્ષાના પરિણામના આધારે પ્રમાણપત્ર આપવું.
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ એક કેન્દ્રીય અભ્યાસક્રમ હોવો જોઈએ. ભાષા, સામાજિકવિજ્ઞાન, ગણિત, કલા, સંગીત, શારીરિક શિક્ષણ જેવા મૂળભૂત વિષયોનો કેન્દ્રીય વિષયોમાં સમાવેશ કરવો જોઈએ. આ સૂચન મુજબ પ્રાદેશિક સરકારોએ ટેકનિકલ, વાણિજ્ય (કોમર્સ) અને કૃષિ હાઈસ્કૂલને વધારે અનુદાન આપવાનું શરૂ કર્યું.
  • માધ્યમિક સ્તર પર વ્યાવસાયિક અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી.
  • માધ્યમિક સ્તરે ભારતીય ભાષાઓને શિક્ષણના માધ્યમરૂપે સ્વીકારવામાં આવી, જો કે વિશ્વવિધાલય સ્તર પર અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ અનિવાર્યપણે રહ્યું.
  • 1952-53માં નિમાયેલા માધ્યમિક શિક્ષણ પંચે શિક્ષણના નીચેના ઉદ્દેશો (Goals) નક્કી કર્યા હતા.
  1. લોકશાહી નાગરિકતાનો વિકાસ
  2. જીવન જીવવાની કળા માટે શિક્ષણ 
  3. સાચી દેશભક્તિની ભાવનાનો વિકાસ
  4. વ્યાવસાયિક ક્ષમતાનો વિકાસ
  5. વ્યક્તિત્વનો વિકાસ
  6. નેતૃત્વ માટેની કેળવણી

Post a Comment

Please do not enter any spam link in the comment box.