Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

રાધાક્રિષ્ણન્ આયોગ - 1948-49

      સેડલર કમિશન – 1917ની ભલામણોને પરિણામે ઉચ્ચ શિક્ષણનો પ્રસાર ખૂબ ઝડપી બન્યો. ઈ.સ. 1917માં યુનિવર્સિટીઓની સંખ્યા 19 હતી. યુનિવર્સિટીઓની અને સંલગ્ન કૉલેજોની સંખ્યા ઈ.સ. 1947માં આશરે 640 જેટલી હતી. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઇ.સ. 1947માં લગભગ અઢી લાખ જેટલી હતી. અભૂતપૂર્વ વિસ્તરણ એ સ્વાતંત્ર્યોત્તર કાળમાં ઉચ્ચ શિક્ષણનું એક આગવું અને ગરવું લક્ષણ છે. પરંતુ આ વૃદ્ધ ગુણાત્મક ન હતી, માત્ર સંખ્યાત્મક હતી. તેથી શિક્ષણનું સ્તર નીચું ગયું હતું. બીજું, પરતંત્ર ભારતના સમયમાં નક્કી થયેલ શિક્ષણના ઉદ્દેશો સ્વતંત્ર ભારતને યોગ્ય ન લાગ્યા. તે વખતે વિદ્યાર્થીઓ માત્ર યુનિવર્સિટી શિક્ષણ મેળવી સરકારી નોકરી કરે તે જ ઉદેશ હતો. હવે ભારત સ્વતંત્ર થયું હતું. વિદ્યાર્થી સ્વતંત્ર ભારતમાં એક સારો નાગરિક (Citizen) બને તે શિક્ષણનો ઉદ્દેશ બને છે. તેથી દેશની જરૂરત મુજબ શિક્ષણમાં પરિવર્તનની માગણી કરવામાં આવી. આમ, તે સમયની ઉચ્ચ શિક્ષણની ખામીઓથી માહિતગાર થવા માટે 'આંતર વિશ્વવિદ્યાલય શિક્ષણ પરિષદ' (Inter-Univeristy Board of Education) અને 'કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડ' (Central Advisory Board of Education) ભારત સરકાર સમક્ષ એક ‘અખિલ ભારતીય વિશ્વવિદ્યાલય શિક્ષણ પંચ' નીમવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, જે રાષ્ટ્રની પ્રવર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી શિક્ષણના માળખામાં પરિવર્તન કરવાની ભલામણો કરે.
1. પંચની નિયુક્તિ :

સરકારે પરિષદ અને બૉર્ડની ભલામણોનો સ્વીકાર કરીને ભારત સરકારે 4 નવેમ્બર, 1918ના રોજ ડૉ. એસ. રાધાકૃષ્ણન્ (Dr. S. Radhakrishnan)ના અધ્યક્ષ પદે 'યુનિવર્સિટી શિક્ષણ પંચ'ની નિમણૂક કરી. અધ્યક્ષના નામ પરથી આ પંચને 'રાધાકૃષ્ણન્ પંચ' પણ કહે છે. 

2. પંચની નિમણૂકનો ઉદ્દેશ :

      પંચની નિમણૂકના ઉદ્દેશ આ મુજબ હતા :
      ભારતીય યુનિવર્સિટી શિક્ષણ ઉપર અહેવાલ આપવો અને તેમાં સુધાર તથા વિસ્તાર વિશેની ભલામણો કરવી, જે દેશની વર્તમાન તેમજ ભાવિ જરૂરિયાતો માટે યોગ્ય હોય.
      ‘પંચે’ યુનિવર્સિટી શિક્ષણના સંદર્ભમાં એક પ્રશ્નાવલિ તૈયાર કરી, તેને શિક્ષણશાસ્ત્રીઓ પાસે મોકલી. લગભગ 600 વ્યક્તિઓએ આ પ્રશ્નાવલિના ઉત્તર આપ્યા. ‘પંચ’ના સભ્યોએ ભારતની વિભિન્ન યુનિવર્સિટીઓમાં જઈ ત્યાંના પદાધિકારીઓ, વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળો અને અન્ય શિક્ષણવિદોને મળીને યુનિવર્સિટી શિક્ષણનાં બધા અંગો વિષે વિસ્તૃત જાણકારી મેળવી. આમ, પંચે અથાગ પરિશ્રમ કરીને 25 ઑગસ્ટ, 1949 ના રોજ પોતાનો અહેવાલ ભારત સરકારને સુપ્રત કર્યો.

3. પંચનું કાર્યક્ષેત્ર :

      પંચને લગભગ 20 જેટલા વિષયોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું, જેમાંના મુખ્ય નીચે પ્રમાણે હતા :

  • ભારતમાં યુનિવર્સિટી શિક્ષણ અને શોધનો ઉદ્દેશ.
  • ભારતીય યુનિવર્સિટીઓમાં સંગઠન, નિયંત્રણ, કાર્ય અને ક્ષેત્રાધિકારની બાબતો અને જરૂરી અને યોગ્ય પરિવર્તન તથા કેન્દ્રીય અને પ્રાંતીય સરકારો સાથેના તેના સંબંધ.
  • યુનિવર્સિટીઓની આર્થિક પરિસ્થિતિ.
  • વિશ્વવિદ્યાલયો અને તેની સાથે સંબંધ ધરાવતી કૉલેજોમાં શિક્ષણનું તથા પરીક્ષણનું ધોરણ ઊંચું રાખવું.
  • વિશ્વવિદ્યાલયોમાં માનવશાસ્ત્ર અને વિજ્ઞાન તથા શુદ્ધ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક પ્રશિક્ષણના અભ્યાસક્રમોમાં ઉચિત સામ્રાજ્ય સ્થાપિત કરી. અભ્યાસક્રમની અવધિ નક્કી કરવી.
  • સ્વતંત્ર રીતે લેવામાં આવતી 'યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા’ની વાછનીયતાને ધ્યાનમાં રાખી 'પ્રવેશ ધોરણો' નક્કી કરવાં. 
  • યુનિવર્સિટીઓમાં શિક્ષણનું માધ્યમ.
  • ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય, ભાષા, દર્શન અને લલિતકલાઓમાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા. 
  • વધુ યુનિવર્સિટીઓની આવશ્યકતા
  • વિશ્વવિદ્યાલયો અને ઉચ્ચતર અનુસંધાન સંસ્થાઓમાં જ્ઞાનની બધી શાખાઓમાં ઉચ્ચ અનુસંધાનની વ્યવસ્થા. 
  • વિશ્વવિદ્યાલયોમાં ધાર્મિક શિક્ષણ.
  • બનારસ, અલિગઢ, દિલ્હી વિશ્વવિદ્યાલયો તથા અખિલ ભારતીય કલાની બીજી શિક્ષણ સંસ્થાઓના ખાસ પ્રશ્નો.
  • શિક્ષકોની યોગ્યતાઓ, સેવા શરતો, પગાર, અધિકાર અને કાર્ય 
  • વિદ્યાર્થીઓમાં શિસ્ત, છાત્રાવાસ અને ટ્યુટોરિયલ કાર્યની વ્યવસ્થા તથા બીજી બાબતો, જે જરૂરી સમજવામાં આવે તે.
      ટૂંકમાં, ‘પંચ’ને યુનિવર્સિટી શિક્ષણનાં બધાં અંગોનો અભ્યાસ કરીને તેમાં યોગ્ય સુધારા સૂચવવાનું કહેવામાં આવ્યું હતું. પંચે આ કામ એક વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ કર્યું હતું. પંચની ભલામણો :

4. પંચની ભલામણો 

"પંચે" યુનિવર્સિટી શિક્ષણનાં બધાં અંગોના સંદર્ભમાં પોતાના વિચારો પ્રગટ કર્યાં છે અને તેમાં સુધારો લાવવા માટે પર્યાપ્ત ભલામણો પણ કરી છે. અહીં આપણે મહત્ત્વનાં અંગો સંબંધિત તેમના વિચારો, સુધારા અને ભલામણો જોઈશું.

(1) વિશ્વવિદ્યાલય શિક્ષણના ઉદ્દેશ :
      'પંચે' વિશ્વવિદ્યાલય શિક્ષણના નીચે દર્શાવેલ ઉદ્દેશો જણાવ્યા છે. 
  • સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ આપણા દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં મહાન પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનોએ આપણી યુનિવર્સિટીઓનાં કાર્યોં તથા જવાબદારીમાં વધારો કર્યો છે. તેથી હવે, રાજકીય, વ્યાવસાયિક, ઔદ્યોગિક તેમજ વાણિજ્ય ક્ષેત્રોમાં નેતૃત્વ પૂરું પાડી શકે તેવી વ્યક્તિઓનું નિર્માણ કરવાનું છે.
  • એવા નેતાઓનું નિર્માણ કરવું જેનો દૂરદર્શી, બુદ્ધિમાન, બૌદ્ધિક અને સાહસી હોય. 
  • વિશ્વવિદ્યાલયોએ એવા વિવેકી નાગરિક તૈયાર કરવા, જે  પ્રજાતંત્રને સફળ બનાવવા શિક્ષણનો ફેલાવો કરે, જ્ઞાનની સદૈવ શોધ કરે, વ્યવસાયનો પ્રબંધ કરી શકે અને દેશના ભૌતિક અભાવોની પૂર્તિ કરે.
  • આપણા સાંસ્કૃતિક વારસાને ન ભૂલો, પરંતુ તેનું જતન કરવું. 
  • વિશ્વવિદ્યાલય એ દેશની સભ્યતા તેમજ સંસ્કૃતિનું રક્ષક અને પોષક છે. તેથી તેણે સભ્યતા તેમજ સંસ્કૃતિના દૂતોનું ઘડતર કરવું જોઈએ.
  • વ્યક્તિના જન્મજાત ગુણો શૌથી પ્રશિક્ષણ દ્વારા તેનો વિકાસ કરવો. 
  • સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન નિવાસ કરે છે. વિશ્વવિદ્યાલયોએ વિદ્યાર્થીઓનો માત્ર માનસિક જ નહિ પણ શારીરિક વિકાસ પણ કરવો જોઈએ.
  • 'પંચ'ના શબ્દોમાં, અમે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની પ્રાપ્તિ દ્વારા પ્રજાતંત્રની શોધમાં સંલગ્ન છીએ. એ આદર્શોનાં પ્રતીક અને રક્ષક વિશ્વવિદ્યાલયો હોવાં જોઈએ.

(2) અધ્યાપક વર્ગ :

      'પંચે' અધ્યાપકોની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડતાં નોંધ્યું છે કે – 
  • અધ્યાપકોને પોતાના વિષયનું સંપૂર્ણ જ્ઞાન નથી અને તે જ કારણથી શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે. આના માટે અધ્યાપકો કરતાં યુનિવર્સિટી અને સરકાર સવિશેષ જવાબદાર છે. અધ્યાપકોને સંશોધન અને પુસ્તકાલયોની સુવિધા પ્રાપ્ત નથી. જો યુનિવર્સિટી અને સરકાર જરૂરી સાધનો પૂરાં પાડે તો, શિક્ષકો પોતાના વિષયના જ્ઞાતા બની શકે.
  • આપણી યુનિવર્સિટીઓમાં લોકશાહી નિયંત્રણ અને ચૂંટણી પદ્ધતિ છે. પ્રાધ્યાપકો અધ્યાપન કાર્ય કરવા કરતાં યુનિવર્સીટી ના વહીવટમાં વધારે રસ લે છે.
  • અધ્યાપકોનો પગાર ઓછો છે, તેમની સેવાની શરતો સગવડો આકર્ષક નથી તેથી તેમને પોતાનું કામ કરવાની પ્રેરણા પ્રાપ્ત નથી.  

ઉપરોક્ત ખામીઓને દૂર કરવા માટે 'પંચે' નીચે પ્રમાણેની ભલામણો કરું છે:

  • અધ્યાપકોના પ્રોવિડન્ટ ફંડની ઉત્તમ વ્યવસ્થા કરવી જોઈએ. અધ્યાપક અને યુનિવર્સિટી બંને આઠ - આઠ ટકા આપે. 
  • યુનિવર્સિટીની બાજુમાં અધ્યાપકોને નિવાસ વ્યવસ્થા આપવી જોઈએ.
  • અધ્યાપક 60 વર્ષ સુધી કામ કર્યું, જયારે અધ્યાપક સારું સ્વાસ્થ્ય ધરાવતો હોય તો 64 વર્ષની ઉંમર સુધી કામ કરે. 
  • અધ્યાપકોને અભ્યાસ માટે એક સાથે એક વર્ષ અને સંપૂર્ણ નોકરી દરમિયાન 3 વર્ષની રજા અપાય. 
  • અધ્યાપકોને એક સપ્તાહમાં વધુમાં વધુ 18 કલાક (workload) નું કાર્ય સોંપાય.
  • અધ્યાપકોને ચાર ભાગોમાં વહેંચવામાં આવે ! (1) પ્રોફેસર, (2) રીડર, (3) વ્યાખ્યાતા અને (4) ઇન્સ્ટ્રક્ટર, તદુપરાંત અનુસંધાન અભિસદસ્ય (Research Fellow) પણ હોય. તેમનું વેતન નીચે દર્શાવ્યા મુજબનું હોવું જોઈએ.

a. યુનિવર્સિટી અધ્યાપક :

હોદ્દો                                              પગાર ધોરણ

1. પ્રોફેસર                                 ₹. 900-50-1,350
2. રીડર                                     ₹. 900-30-900
3. લેક્ચરર                                 ₹. 300-25-600
4. ઇન્સ્ટ્રક્ટર                               ₹. 250-25-500
5. અનુસંધાન અભિસદસ્ય             ₹. 250-25-500

b. સ્નાતક કૉલેજ :

1. લેક્ચરર                      ₹. 200-15-320-20-400
2. સીનિયર પોસ્ટ              ₹. 400-25-600
(દરેક કૉલેજમાં 2)
3. પ્રિન્સિપાલ.                  ₹. 600-400-800

c. અનુસ્નાતક કૉલેજ: 

1. લેક્ચરર          ₹.200-15-320-20-400-25-500
2. સીનિયર પોસ્ટ  ₹. 500-25-800
     (દરેક કોલેજમાં)
3. પ્રિન્સિપાલ       ₹.800-50-1,000

      અધ્યાપકોને તેમની યોગ્યતાના આધારે બઢતી (promotion) આપવી જોઈએ.

      જુનિયર લેક્ચરર અને સીનિયર (રીડર કે પ્રોફેસર) પદોની સંખ્યા 2 : 1 ના પ્રમાણમાં હોવી જોઈએ.

(3) શિક્ષણનું ધોરણ :

      આપણી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક સ્તર ઉતરતું છે. વિશ્વવિધાલયે પોતાનું શિક્ષણનું ધોરણ ઊંચું લાવવું જોઈએ. જ્યાં સુધી આપણી યુનિવર્સિટીઓ આ અંગે સ્થિત નહીં થાય ત્યાં સુધી દેશ-વિદેશમાં તેની ડિગ્રીની (ઉપાધિ)ની ઉચિત ગણના થશે નહિ. યુનિવર્સિટીઓનાં શૈક્ષણિક સ્તરમાં સુધારો કરવા માટે આયોગે નીચે પ્રમાણે ભલામણો કરી છે :

  • યુનિવર્સિટી શિક્ષણમાં પ્રવેશ મેળવવા માટે ઇન્ટરમીડિયેટ અથવા તેની સમક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • પ્રત્યેક પ્રાંતમાં વધારે સંખ્યા ઇન્ટરમીડિયેટ કૉલેજો ખોલવામાં આવે, જેમાં યોગ્ય શિક્ષકો અને પર્યાપ્ત સાધન-સામગ્રી હોય.
  • હાઇસ્કૂલ તેમજ ઈન્ટર પછીના વિદ્યાર્થીઓને ધંધાદારી તેમજ ટેક્નોલોજીકલ શાળાઓમાં જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.
  • વિશ્વવિદ્યાલયોમાં કલા અને વિજ્ઞાનના ધોરણોમાં 3,000 અને સંલગ્ન કોલેજોમાં 1,500 થી વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાય.
  • પરીક્ષાના દિવસો બાદ કરતાં ઓછામાં ઓછું 180 દિવસ શૈક્ષણિક કાર્ય કરવામાં આવે.
  • શિક્ષકો પૂરતી તૈયારી કરે, ટ્યુટોરિયલના વર્ગની વ્યવસ્થા કરાય તેમજ વાચન અને લેખન ઉપર વધારે ઝોક અપાય. 
  • કોઈપણ ધોરણ માટે પાઠ્યક્રમ (વિષયવસ્તુ) નક્કી કરવામાં ન આવે. 
  • બહારના પરીક્ષાર્થીઓ ઉપર નિયંત્રણ મૂકવામાં આવે.
  • વ્યવસાયમાં જોડાયેલા વ્યક્તિઓ માટે રાત્રિ શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે. 
  • પુસ્તકાલય અને પ્રયોગશાળાઓને આધુનિક ઢંગથી સુસજ્જિત કરવામાં આવે.
  • વિશ્વવિદ્યાલયમાં હાઇસ્કૂલ અને ઇન્ટર કોલેજોના અધ્યાપકોને અભિસ્થાપન વર્ગો (Refresher Course) ની વ્યવસ્થા કરવામાં આવે.
  • સ્નાતકોત્તર કક્ષાએ વિચારગોષ્ઠિ (Seminar) ને પ્રોત્સાહિત કરવામાં આવે.

(4) અભ્યાસક્રમ :

      વિવિધ ક્ષેત્રનું જ્ઞાન અને અનુભવ મેળવવા માટે અભ્યાસક્રમ અત્યંત જરૂરી છે. એ અત્યંત જરૂરી છે કે જ્ઞાનની વિવિધ શાખાઓ અને અનુભવો વચ્ચે આંતર સંબંધો હોવા જોઈએ. જ્ઞાન અને અનુભવની એક્તાના પરિચય વિના મગજનો સમતુલિત વિકાસ શક્ય નહીં બને. યુનિવર્સિટીઓ, કૉલેજો અને માધ્યમિક શાળાઓમાં વિનયન અને વિજ્ઞાનના શિક્ષણની સાથે સાથે સામાન્ય શિક્ષણ (General Education) ની વ્યવસ્થા કરવામાં આવે જેથી વિનયન શાખાના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના વિષયો અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ વિનયન અને સાહિત્યના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આ રીતે સામાન્ય શિક્ષણ અને વિશિષ્ટ શિક્ષણ વચ્ચે સંવાદ સ્થાપિત કરાય અને સંચિતતા દૂર થઈ શકે. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો યોગ્ય વિકાસ થાય અને તેઓ સારા નાગરિકો બની શકે. સામાન્ય શિક્ષણનો અભ્યાસક્રમ અને વિષયવસ્તુ વિશિષ્ટ ક્ષેત્રોને અનુરૂપ હોવો જોઈએ

અભ્યાસક્રમ અંગે આયોગની ભલામણો આ પ્રમાણે છે :
  • સ્નાતકની ઉપાધિનો સમય ત્રણ વર્ષનો હોય. 
  • સ્નાતકોત્તર ઓનર્સ કોર્સ 1 વર્ષ પછી અને તેના પછી 2 વર્ષે અનુસ્નાતકની પદવી આપવામાં આવે.
  • વિશ્વવિદ્યાલયો અને માધ્યમિક શાળાઓમાં સામાન્ય શિક્ષણના સિદ્ધાંતો અને પ્રયોગો તાત્કાલિક શરૂ કરવામાં આવે.
  • વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામૂહિક હિતોને ધ્યાનમાં રાખી જુદાં જુદાં ક્ષેત્રોનો અભ્યાસ કરવામાં આવે અને પછી સામાન્ય શિક્ષણ અને વિશિષ્ટ શિક્ષણનો સમન્વય સાધવામાં આવે. 

(5) સ્નાતકોત્તર શિક્ષણ અને સંશોધન :

માનવ સંસ્કૃતિએ એવા મનુષ્યોનો વિશેષ લાભ ઉઠાવ્યો છે કે જેમણે પ્રકૃતિનાં રહસ્યો અને માનવ વ્યવહારોનો તાગ મેળવ્યો. આધુનિક જીવન સંશોધનોનું પરિણામ છે. પ્રગતિશીલ સમાજ ત્રણ પ્રકારના લોકો ઉપર નિર્ભર હે છે. (i) વિદ્વાન, (ii) સંશોષક (Discoverer), અને (iii) નિર્માના (Inventor), વિજ્ઞાન ભૂતકાળ ખોદે છે અને બુદ્ધિ, સૌંદર્ય અને શ્રેષ્ઠતાના આદર્શો રજૂ કરે છે. સંશોધક નવા સિદ્ધાંતોની શોધ કરે છે અને નિર્માતા તે શોધને આવશ્યકતાઓમાં યોજે છે. વિશ્વવિદ્યાલય તે પ્રકારના મનુષ્યોને પેદા કરે છે જેઓ મુખ્ય રીતે ઉત્પાદકો હોય છે અને પ્રગતિશીલ ક્રિયાઓની પ્રભાવપૂર્ણ સાધનોમાં સંયોગ કરે છે. વિશ્વવિદ્યાલયોનું જ્ઞાન નાગરિકોને પ્રશિક્ષિત કરે છે. આમ છતાં, સંશોધન એ વિશ્વવિદ્યાલયનું મુખ્ય કાર્ય છે. આપણી યુનિવર્સિટીઓમાં વૈજ્ઞાનિક સંશોધનને પ્રાથમિકતા અપાય. આપણા દેશમાં ત્યારે જ પ્રતિભાવાન સંશોધકો પેદા થશે જ્યારે બૌતિક જીવનના આદર્શોથી તેઓ પ્રભાવિત હોય અને દેશની ભૌતિક પ્રગતિમાં સક્રિય યોગદાનની ઇચ્છા ધરાવતા હોય. વિશ્વવિદ્યાલયોમાં સ્નાતકોત્તર શિક્ષણ તથા સંશોધન કાર્યને સફળ બનાવવા માટે આયોગે નીચે પ્રમાણે બઝામો કરી છે :

  • સ્નાતકોત્તર વર્ગના નિયમોમાં સમાનતા હોવી જોઈએ અને તેમનું શિક્ષણ વ્યાખ્યાનો, ગોષ્ઠિ તથા પ્રયોગ આધારિત હોય.
  • પીએચ.ડી.ના વિદ્યાર્થીઓની અખિલ ભારતીય સ્તરે પસંદગી થાય અને શોધકાર્યની અવિધ 2 વર્ષની રખાય.
  • પીએચ.ડી. તથા અન્ય સંશોધન કાર્ય કરનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ તથા અભિવૃત્તિઓ (Research fellowships) ની વ્યવસ્થા કરવી જોઈએ.
  • ડી.લિટ. તથા ડી.એસ.સી.ની પદવીઓ માત્ર ઉચ્ચ કોટિના પ્રકાશન અને મૌલિક કાર્યો માટે જ આપવી.
  • શિક્ષણ મંત્રાલય દ્વારા અનુસ્નાતકોને મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિઓ અપાય.
  • યુનિવર્સિટીઓના વિજ્ઞાન વિભાગને સંશોધન કાર્ય માટે સરકાર દ્વારા ઉદાર સહાયતા અપાવી જોઈએ. :

(6) વ્યાવસાયિક શિક્ષણ :

'પંચે' વ્યાવસાયિક શિક્ષણના મહત્ત્વનો સ્વીકાર કર્યો છે અને તેના વિભિન્ન અંગોના સંદર્ભમાં લેખિત ભલામણો કરી છે, જે નીચે મુજબ છે : 
(A) ખેતી : કૃષિ-શિક્ષણના સંદર્ભમાં 'પંચ' નીચે પ્રમાણેની ભલામણો કરી છે : 
  • ભારત કૃષિપ્રધાન દેશ છે. કૃષિવિદ્યાના શિક્ષકને મુખ્ય રાષ્ટ્રીય સમસ્યા માની લેવી જોઈએ. 
  • પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં કૃષિ શિક્ષણને પ્રથમ સ્થાન અપાય.
  • કૃષિ શિક્ષણ, ખેતી અનુસંધાન અને કૃષિ નીતિનું જાણકાર દ્વારા નિર્માણ થાય.
  • ખેતી શિક્ષણ સંસ્થાઓ ગ્રામ પ્રદેશોમાં સ્થાપવી, જેથી વ્યાવહારિક જ્ઞાન અપાય. 
  • કૃષિ કૉલેજોને ઉદાર આર્થિક સહાયતા આપવી અને સાધન સંપન્ન બનાવવી, જેથી તેમાં પર્યાપ્ત સંખ્યામાં શિક્ષકો રાખી શકાય.
  • પ્રાયોગિક કાર્ય માટે ફાર્મ (Experimental Farm) બનાવવાં. કૃષિ કોલેજેને ગ્રામીણ વિશ્વવિદ્યાલયો સાથે જોડી દેવી. 
  • કેન્દ્ર તથા રાજ્ય સરકારી દ્વારા સંશોધન કેન્દ્રો ખોલી તેમાં સંશોધન હાથ ધરાય.
  • 'ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ' ને સમૃદ્ધ કરવામાં આવે અને તે તમામ કૃષિ સંશોધન કેન્દ્રોના સંયોજકની ભૂમિકા ભજવે.

(B) વાણિજ્ય : 'પંચે વિભિન્ન સ્તરો પર વાણિજ્યના શિક્ષ્ણનું વિવેચન કરીને તે વિષષમાં નીચે પ્રમાણે ભલામણો કરી છે :
  • યુનિવર્સિટીમાં વાણીજ્યનું શિક્ષણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 3 કે 4 પ્રકારની વિભિન્ન વ્યાપારી પેઢીઓ (Business Firm) માં વ્યાવહારિક (Practical) કાર્ય કરવાની તક આપવી જોઈએ.
  • સ્નાતક પરીક્ષા પાસ કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓને કોઈ એક શાખાના વિશેષજ્ઞ બનાવાય.
  • એમ. કોમ.માં યોગ્ય વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાય. તેમાં વ્યાવહારિક જ્ઞાન પર ભાર મુકાય.

(C) શિક્ષણ વ્યવસાય : શિક્ષણના વ્યવસાયમાં સુધારો કરવાના ઉદ્દેશથી આયોગે આ પ્રમાણેની ભલામણો કરી હતી :
  • તાલીમી અભ્યાસક્રમોમાં સુધારો કરવામાં આવે અને પાઠ્યપુસ્તકોના જ્ઞાનને બદલે અધ્યાપનના અભ્યાસને વધારે મહત્ત્વ અપાય.
  • તાલીમાર્થીઓના કાર્યનું મૂલ્યાંકન કરતી વખતે તેની અધ્યાપકીય સફળતાઓ ધ્યાનમાં ખાય. 
  • અધ્યાપનના અભ્યાસ માટે યોગ્ય વિદ્યાર્થીઓની પસંદગી કરાય.
  • પર્યાપ્ત અનુભવ ધરાવનાર શિક્ષકોને જ પ્રશિક્ષણ વિદ્યાલયોમાં વધારે પ્રમાણમાં પ્રવેશ અપાય 
  • શૈક્ષણિક પદ્ધતિઓના અભ્યાસક્રમમાં તરલતા લાવવામાં આવે અને તે સ્થાનિક વાતાવરણને અનુરૂપ હોય.
  • અનુભવી શિક્ષકોને એમ.એડ. માટે પ્રોત્સાહન આપવામાં આવે.
  • અખિલ ભારતીય ધોરણે પ્રોફેસરો અને વ્યાખ્યાતાઓ મૌલિક ચિંતન અને કાર્ય કરે.

(D) ઇજનેરી અને તકનિકી : ઇજનેરી અને તકનિકીના શિક્ષણ અંગે આયોગે આ પ્રમાણેની ભલામણો કરી છે :
  • વર્તમાન ઇજનેરી અને તકનિકી શિક્ષણ સંસ્થાઓને રાષ્ટ્રીય સંપત્તિમાથી તેની ઉપયોગિતા વધારવામાં આવે.
  • ફોરમેન, ડ્રાફટ્સમેન અને ઓવરશિયરોના શિક્ષણ માટે ઈજનેરી સંસ્થાઓની સંખ્યામાં વધારો કરાય. 
  • ઈજનેરી સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કારખાનાઓમાં પ્રત્યક્ષ વ્યવહારિક જ્ઞાનની તકો પૂરી પાડવામાં આવે.
  • વિવિધ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઈજનેરી અને તકનિકી શિક્ષણ સંસ્થાઓનો અભ્યાસક્રમ વ્યાપક બનાવવામાં આવે.
  • ઇજનેરી શિક્ષણના અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવે. 
  • ઇજનેરી શિક્ષણના પ્રથમ વર્ષમાં બધી જ ઇજનેરી, શાખાઓના શિક્ષણ ઉપરાંત વિશિષ્ટ શાખાનું શિક્ષણ અપાય.
  • વર્તમાન ઇજનેરી અને તકનિકી કૉલેજોમાં અનુસ્નાતક શિક્ષણ અને સંશોધનની શ્રેષ્ઠ અને ઉચિત વ્યવસ્થા કરવામાં આવે.
  • ઇજનેરી અને તકનિકી શિક્ષણની સંસ્થાઓની સંખ્યામાં ઝડપી વધારો કરવામાં આવે. 

(E) કાયદાકીય શિક્ષણ : કાયદાકીય શિક્ષણ પરત્વે આયાગે આ પ્રમાણે ભલામણો કરી છે :
  • દેશની બધી જ કાનૂની કોલેજોની પુનઃરચના કરવામા આવે.
  • કાનૂન વિભાગમાં અધ્યાપકોની નિમણૂક યુનિવર્સીટીઓ દ્વારા કરાય.
  • વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષનું સામાન્ય શિક્ષણ મેળવ્યા પછી જ કાયદાનું શિક્ષણ લેવાની પરવાનગી અપાય.
  • કાનૂનના ખાસ વિષયોનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો હોય.
  • પૂર્ણકાલીન અધ્યાપકો પાયાના વિષયો ભણાવશે અને અંશકાલીન અધ્યાપકો વ્યાવહારિક જ્ઞાન આપશે. 
  • કાયદાકીય શિક્ષણ લેનાર વિદ્યાર્થીને તેના અધ્યયનકાળ દરમિયાન બીજો "કોર્સ" કરવાની રજા અપાશે નહિ.

(F) દાક્તરી શિક્ષણ : દાક્તરી શિક્ષણ (Medical Education) ના અનુસંધાનમાં આયોગે આ પ્રમાણે દિશાનિર્દેશ કર્યો છે : 
  • કોઈપણ મેડિકલ કૉલેજમાં 100 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવો.
  • કૉલેજના જે વિભાગોનાં સંબંધ હોસ્પિટલ સાથે હોય તે બધા એક જ સ્થળે હોવા જોઈએ.
  • કૉલેજમાં પ્રવેશ લેનાર પ્રત્યેક વિદ્યાર્થી દીઠ 10 પથારીઓ હોવી જોઈએ. 
  • સ્નાતક પૂર્વ અને અનુસ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને ગ્રામ વિસ્તારોમાં પ્રશિક્ષિત કરવામાં આવે.
  • અનુસ્નાતક શિક્ષણની જવાબદારી યોગ્ય સાધનો અને વ્યવસ્થા ધરાવનાર કોલેજોને જ આપવામાં આવે. 
  • સાર્વજનિક આરોગ્ય અને સ્વાસ્થ્યને વધારે મહત્ત્વ આપવામાં આવે.
  • દેશી ઉપચાર પદ્ધતિઓમાં સંશોધન માટે સગવડો ઊભી કરવામાં આવે.
  • મેડિકલ કૉલેજના પ્રથમ વર્ષમાં દાક્તરી વિજ્ઞાનનો ઇતિહાસ અને ભારતીય ઉપચાર પદ્ધતિઓ વિશેષ ધ્યાનથી ભણાવવામાં આવે.

(7) ધાર્મિક શિક્ષણ :

        હિંદુ અને મુસ્લિમ કાળમાં ધાર્મિક શિક્ષણ એ ભારતીય શિક્ષણ પદ્ધતિનું વિશેષ અંગ હતું. વ્યક્તિના વ્યક્તિગત અને સામાજિક જીવનને નિયંત્રિત કરવા માટે ધાર્મિક શિક્ષણ અગત્યનું ગણાતું. અંગ્રેજોએ તટસ્થતાની નીતિ સ્વીકારી ધાર્મિક શિક્ષણને કોઈ સ્થાન આપ્યું નહિ, પરંતુ સાંપ્રત ભૌતિક વાદના યુગમાં આધ્યાત્મિક (Spiritual) વિકાસ માટે ધાર્મિક શિક્ષણની આવશ્યકતા જણાવવા લાગી છે. ભારત એક ધર્મ નિરપેક્ષ રાજ્ય છે, એનો અર્થ એવો નથી કે ધર્મની અવહેલના કરવામાં આવે. ધાર્મિક સંકુચિતતા છોડી દરેકને પોતાના ધર્મનું આચરણ કરવાની છૂટ આપવામાં આવે છે. આપણા બંધારણના આધારભૂત સિદ્ધાંતો અનુસાર આધ્યાત્મિક શિક્ષણ જરૂરી બની રહે છે.

        આ દષ્ટિકોણને ધ્યાનમાં રાખી આયોગે ધાર્મિક શિક્ષણના વિષયમાં આ પ્રમાણે ભલામણો કરી :

  • બધી જ શિક્ષણ સંસ્થાઓ પ્રાર્થના કે મૌન ચિંતનથી પોતાનો દૈનિક કાર્યક્રમ શરૂ કરે. 
  • ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષમાં વિશ્વની મહાન વિભૂતિઓ - બુદ્ધ, મહાવીર, સોક્રેટિસ, કોન્ફુશિયસ, ઈશુ, શંકર, રામાનુજ, માધવ, કબીર, નાનક, ગાંધીની જીવનકથા ભણાવવામાં આવે.
  • બીજા વર્ષમાં વિશ્વના ધાર્મિક ગ્રંથોમાંથી સાર્વભૌતિક મહત્વ ધરાવતા કેટલાક અંશો ભણાવવામાં આવે 
  • ત્રીજી વર્ષમાં ધર્મદર્શનની પ્રમુખ સમસ્યાઓનો અભ્યાસ કરાવવામાં આવે...

(8) શિક્ષણનું માધ્યમ :

        આયોગને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણના માધ્યમની (Medium) સમસ્યા ઉપર અતિ ગંભીર વિચાર કરવો પડ્યો છે. અન્ય સમસ્યાઓ કરતા આ સમસ્યા ઉપર શિક્ષણવિદોમાં માં અપાર મતભેદો હતા. માધ્યમની સમસ્યા ઉપર વિચાર કરતી વખતે આયોગને જુદા જુદા રાજયો અને જાતિઓના શિક્ષણના માધ્યમ વિષે પણ નિષ્પક્ષ રીતે વિચાર કરવાનો હતો, તેથી આયોગે માધ્યમ અંગે આ પ્રમાણેના નિષ્કર્ષો આપ્યા.
  • હિન્દી ભાષામાં બીજા સ્રોતોમાંથી આવેલા શબ્દોનો સમાવેશ કરી તેને સમૃદ્ધ બનાવવામાં આવે.
  • આંતરરાષ્ટ્રીય તનિકી અને વૈજ્ઞાનિક પારિભાષિક શબ્દો સ્વીકારી લેવામાં આવે અને ભારતીય ભાષાઓની ધ્વનિ, પ્રકૃતિ તથા ઉચ્ચારણ અનુસાર તેનું ભારતીયકરણ કરવામાં આવે.
  • ઉચ્ચ શિક્ષણના માધ્યમરૂપે અંગ્રેજીના સ્થાને કોઈ ભારતીય ભાષાનો પ્રયોગ શરૂ કરાય.
  • કેટલીક મુશ્કેલીઓના કારણે સંસ્કૃતને શિક્ષણના માધ્યમ તરીકે સ્થાપી શકાય નિહ.
  • ઉચ્ચતર માધ્યમિક અને વિશ્વવિદ્યાલય કક્ષાને વિદ્યાર્થીઓને (ક) પ્રાદેશિક ભાષા (માતૃભાષા), (ખ) સંઘીય ભાષા (હિન્દી- રાજભાષા), અને (ગ) અંગ્રેજી ભણાવવામાં આવે.
  • ઉચ્ચ શિક્ષણનું માધ્યમ પ્રાદેશિક ભાષા હોય, પરંતુ રાષ્ટ્રભાષાને એક અથવા વધારે વિષયોના શિક્ષણનું માધ્યમ બનાવી શકાય.
  • સંઘીય ભાષા (હિન્દી) માત્ર દેવનાગરી લિપિમાં જ લખાય અને તેના વર્તમાન દોષો દૂર કરવામાં આવે.
  • સંઘીય અને પ્રાદેશિક ભાષાઓના વિકાસ માટે ઝડપી ક્રિયાત્મક કદમ ઉઠાવવામાં આવે.
  • વૈજ્ઞાનિકો તેમજ ભાષા વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવામાં આવે. તેઓ બધી ભારતીય ભાષાઓમાં સમાનરૂપે વપરાતા એક વૈજ્ઞાનિક શબ્દકોશ તૈયાર કરે.
  • રાજ્ય સરકારો ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ડિગ્રી કૉલેજો અને વિશ્વવિદ્યાલયોમાં સંઘીય ભાષાના શિક્ષણની વ્યવસ્થા કરે. 
  • નવા જ્ઞાનના સંપર્કમાં રહેવા માટે હાઇસ્કૂલ અને યુનિવર્સિટી કક્ષાએ અંગ્રેજીનું શિક્ષણ યથાવત્ રખાય.

(9) પરીક્ષા :

        ભારતીય શિક્ષણમાં પરીક્ષાઓનું પ્રાધાન્ય છે. આયોગે વિશ્વવિદ્યાલયોની પરીક્ષા પદ્ધતિમાં અનેક દોષો સ્વીકાર્યા છે તેથી આયોગે નોંધ્યું છે કે, "અમને જો ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં માત્ર એક જ વાતને ધ્યાનમાં રાખીને ભલામણ કરવાનું કહેવામાં આવે તો તે ભલામણ પરીક્ષા સંબંધી જ હોય." પરીક્ષાઓને દોષમુક્ત બનાવવા માટે આયોગે નીચે પ્રમાણે ભલામણો કરી છે : 
  • શિક્ષણ મંત્રાલય અને વિશ્વવિદ્યાલયો પરીક્ષા લેવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સૂક્ષ્મ અભ્યાસ કરે અને એ અધ્યયનનાં પરિણામો પરીક્ષા પદ્ધતિમાં ક્રિયાન્વિત કરે, તેમાં સુધારો કરવામાં આવે. 
  • વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે વસ્તુલક્ષી પરીક્ષાઓના પ્રશ્નપત્રોના નમૂના તૈયાર કરવામાં આવે.
  • રાજકીય પદો માટે વિશ્વવિદ્યાલયની ડિગ્રીની અનિવાર્યતા દૂર કરવામાં આવે. સેવા આયોગ ફી લઇને ઉચ્ચ પરીક્ષાઓની વ્યવસ્થા કરે અને તેમાં ઉત્તીર્ણ થનારની જ પસંદગી કરાય.
  • પરીક્ષાનો 1/3 ગુણભાર વર્ગકાર્ય માટે ફાળવવામાં આવે, 
  • ત્રિવર્ષીય ડીગ્રી કોર્સની પરીક્ષાઓ ત્રણ વર્ષના અને અંતે નહી પરંતુ પ્રત્યેક વર્ષના અંતે સંપૂર્ણ સ્વતંત્ર સ્વરૂપે લેવામાં આવે અને વિદ્યાર્થીને પ્રત્યેક વિષયમાં પાસ થવું જરૂરી ગણાય.
  • જેણે સતત 5 વર્ષ સુધી વિષય ભણાવ્યો હોય તે જ વ્યક્તિ તે વિષયની પરીક્ષક બની શકે. 
  • પરીક્ષાઓનું સ્તર ઊંચે લઈ જવાના હેતુસર પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણી માટે ઓછામાં ઓછા ગુણ ક્રમશઃ 70, 55 અને 40 નક્કી કરવામાં આવે.
  • સ્નાતકોત્તર અને વ્યાવસાયિક પરીક્ષાઓમાં મૌખિક પરીક્ષા લેવામાં આવે.

(10) વિદ્યાર્થી ક્લ્યાણ :

        “નવયુવાનોનું શિક્ષણ અને નૂતન સત્યની શોધ એ વિશ્વવિદ્યાલયોનું મુખ્ય કાર્ય છે. આજનો વિદ્યાર્થી આવતી કાલનો નાગરિક છે. વિદ્યાર્થી નિર્માણ માટે હોય છે તેથી તે અત્યંત જરૂરી છે કે વિદ્યાર્થીઓની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓના શ્રેષ્ઠતમ વિકાસ માટે કામ કરે." આવો વિદ્યાર્થીઓન વ્યક્તિત્વ વિકાસ અને ચરિત્ર નિર્માણ માટે નીચેના નિર્દેશો આપ્યા છે :
  • કૉલેજો અને વિશ્વવિદ્યાલયોમાં કોઈપણ જાતના ભેદભાવ વગર વિદ્યાર્થીને પ્રવેશ અપાય.
  • પ્રથમ ડિગ્રી કોર્સ માટે જુદા જુદા પ્રકારના અભ્યાસક્રમોની વ્યવસ્થા કરવામાં આવે.
  • યુનિવર્સિટીઓ અનુસ્નાતક, વ્યાવસાયિક તેમજ સંશોધન કાર્ય ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે.
  • ગરીબ વિદ્યાર્થીઓને તેમની વિદ્યાકીય સફળતાઓના આધારે શિષ્યવૃત્તિઓ આપવામાં આવે.
  • વર્ષના આરંભે તેમજ વર્ષ અંતર્ગત પ્રત્યેક વિદ્યાર્થીની નિઃશુલ્ક દાક્તરી તપાસ કરવામાં આવે.
  • દરેક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દવાખાનું હોય. 
  • ચેપી રોગોથી પીડાતા વિદ્યાર્થીઓને વિશ્વવિદ્યાલય અથવા કૉલેજમાં પ્રવેશ ન આપવામાં આવે.
  • શિક્ષણ સંસ્થાઓનાં ભવનો, છાત્રાવાસ જેવાં સ્થાનોની નિયમિત સફાઈ કરવામાં આવે અને તેનો અહેવાલ નિયમિતરૂપે ઉપકુલપતિને આપવામાં આવે.
  • બપોરે યોગ્ય કિંમતે વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન આપવામાં આવે.
  • વિદ્યાર્થીઓને ચેપી રોગોની રસી આપવામાં આવે. 
  • પ્રત્યેક યુનિવર્સિટીમાં એક ‘ડાયરેક્ટર ઑફ ફિઝિકલ એજ્યુકેશન' ની નિયુક્તિ કરવામાં આવે.
  • વિદ્યાર્થીઓ માટે ખેલકૂદ અને જિમ્નેશિયમની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે. 
  • શિક્ષણ સંસ્થામાં એન.સી.સી.ની સ્થાપના કરાય.
  • જેઓ એન.સી.સી.માં જોડાય તેમના માટે બે વર્ષની શારીરિક શિક્ષણ તાલીમ અનિવાર્ય બનાવવામાં આવે. એન.સી.સી.નો બધો જ ખર્ચ કેન્દ્ર સરકાર આપે.
  • વિદ્યાર્થીઓને સમાજસેવા માટે પ્રેરિત કરાય.
  • વિશ્વવિદ્યાલયમાં છાત્રવાસની યોગ્ય વ્યવસ્થાઓ હોય અને એક છાત્રાલયમાં 50 થી વધારે વિદ્યાર્થીઓ ન હોય. 
  • વિશ્વવિદ્યાલયોનાં વિદ્યાર્થીઓ રાજનીતિથી પોતાની જાતને અલગ રાખે.
  • દરેક વિશ્વવિદ્યાલયમાં વિદ્યાથી કલ્યાણ સમિતિની સ્થાપના કરાય.
  • શિસ્ત શીખવવા માટે વિદ્યાર્થીઓને રચનાત્મક કાર્યોમાં જોડવામાં આવે.

(11) સ્ત્રી શિક્ષણ :
        સ્ત્રી શિક્ષણ પર ભાર મૂકતાં પંચે લખ્યું છે કે – 'શિક્ષિત સ્ત્રીઓ વિના શિક્ષિત વ્યક્તિ બની શકે નહિ. જો સામાન્ય શિક્ષણ સ્ત્રીઓ અથવા પુરુષો સુધી સીમિત રખાતું હોય તો, સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રાપ્ત કરવાનો અવસર મળવો જોઈએ, કારણ કે આ રીતે જ શિક્ષણને આગામી પેઢી સુધી  હસ્તાન્તરિત કરી શકાશે.' સ્ત્રી શિક્ષણનું મહત્વ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 'પંચે ' આ વિષયમાં નીચે મુજબ ભલામણો કરી છે :
  • સ્ત્રીઓને તેઓ સુમાતા અને સુગૃહિણી બને તેવું શિક્ષણ આપવું.
  • પુરુષોની કૉલેજમાં સ્ત્રીઓની સામાન્ય સુવિધા સાચવવી
  • સ્ત્રીઓને શિક્ષણની વ્યાપક તકો પૂરી પાડવી. 
  • સ્ત્રીઓને પોતાના હિતમાં હોય તેવું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું.
  • શિક્ષણની બાબતમાં સ્ત્રીઓ પુરુષોનું આંધળું અનુકરણ ન કરે પરંતુ તેઓ સ્ત્રીયોચિત શિક્ષણ મેળવે. 
  • સ્ત્રીઓ અને પુરુષોના શિક્ષણમાં અનેક બાબતોમાં સમાનતા હોઈ શકે, પરંતુ તે સંપૂર્ણપણે એક સરખું ન હોઈ શકે.
  • શૈક્ષણિક સંસ્થાઓનો અભ્યાસક્રમ એવી હોવો જોઈએ, જેથી સ્ત્રીઓ સમાજમાં પોતાની ઓળખ ઊભી કરી શકે.
  • ગૃહ અર્થશાસ્ત્ર, નર્સિંગ અને લલિત કલાઓના શિક્ષણ કોર્સની વ્યવસ્થા કરવી. 
  • સહશિક્ષણ આપતી સંસ્થાઓમાં સ્ત્રીઓ પ્રત્યે શિષ્ટ વ્યવહાર કરવામાં આવે.
  • અધ્યાપિકાઓને અધ્યાપકો જેટલો જ પગાર અપાય.

(12) ગ્રામ યુનિવર્સિટી (Rural University) : 

પંચનું કહેવું છે કે, ભારતની યુનિવર્સિટીઓ મોટા શહેરોમાં આવેલી હોઈ તેમને અહીંના ગામડાઓ સાથે કોઈ નિસ્બત નથી. ભારત ગામડાઓનો દેશ છે. તેથી ભારતના ગામડાઓનો વિકાસ કરવા તથા તેમની જરૂરિયાતોની પૂર્ત કરવા માટે ગ્રામ કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવે. આ વિચારથી પ્રભાવિત થઇ આયોગે ગ્રામવાસીઓના શિક્ષણ અંગે આ પ્રમાણે નોંધ્યું છે :
  • ગામડાઓમાં નાના કદની અને આવામાં સ્નાતક- પૂર્વ  કોલેજો શરૂ કરવામાં આવે અને આ કોલેજેના કેન્દ્રમાં એક ગ્રામ વિદ્યાપીઠ ઊભી કરાય.
  • એક કૉલેજમાં ઓછામાં ઓછા 300 વિધાર્થીઓની સંખ્યા રાખવી અને ગ્રામ વિદ્યાપીઠની કુલ વિદ્યાર્થી સંખ્યા 2500 થી વધવી જોઈએ નહિ.
  • દરેક કૉલેજમાં વિષયવાર અધ્યાપક હોવો જોઈએ તથા ગ્રામ વિદ્યાપીઠ ખાતે પુસ્તકાલય, પ્રયોગશાળા અને ચિકિત્સાલયની સંયુક્ત વ્યવસ્થા ઊભી કરવી એઈએ.
  • ગ્રામીણ કૉલેજોનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સામાન્ય શિક્ષણ ઉપરાંત વ્યક્તિગત રસ, રુચિ અને મનોવૃત્તિઓનો શ્રેષ્ઠતમ વિકાસ કરવાનો હોવો જોઈએ.
  • ગ્રામીણ કૉલેજોમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓ માટે ગ્રામીણ વિદ્યાપીઠમાં વ્યાવસાયિક શિક્ષણના જુદા જુદા વિષયોની સગવડ હોવી જોઈએ.
  • સ્નાનકપૂર્વ અને અનુસ્નાતક શિક્ષણનાં અભ્યાસક્રમમાં એવું વિભાજન હોવું જોઈએ કે વિદ્યાર્થી સ્નાતક પછી અનુસ્નાતક શિક્ષણ ગ્રહણ કરી શકે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.